________________
૪૮
અક્ષર
આશ્રય લેવામાં ગાંધીજીએ આ દષ્ટિએ ભારે જોખમ ખેડવું કહેવાય. છતાં પોતાના કસબની ખૂબી અને ખામી સમજતા ઉત્તમ કલાકારને છાજે તેવી વિવેકશક્તિ વડે ગાંધીજીએ “આત્મકથા 'ના કથનાત્મક અંશને તેમ માનવઅંશને નથી કથળવા દીધો કે નથી દબાઈ જવા દીધો. જન્મ અને બાળપણ, લગ્ન, કેળવણી, ઈંગ્લેન્ડનો પ્રવાસ અને
ત્યાંના અનુભ, હિંદમાં આવ્યા પછી આફ્રિકા તરફ પ્રયાણુ, ત્યાંની 'જીવનવિટંબણાઓ, ડર્બન, નાતાલ વગેરે પ્રદેશોમાં ગેરા અને ઈતર વર્ગ વચ્ચે સામાજિક, રાજનૈતિક અને આર્થિક ક્ષેત્રમાં ઉદ્ભવતા સંઘર્ષો, હિંદમાં આવીને આફ્રિકાના પ્રશ્ન માટે કરેલો પ્રચાર, નાતાલમાં પુનઃ પ્રવેશ વેળા થયેલાં તેફાના, ફિનિકસ સંસ્થાની સ્થાપના, હિંદમાં પુનરાગમન અને સત્યાગ્રહનાં મંડાણ—લગભગ ચાર દાયકાના આ ગાળામાં સામાજિક, નૈતિક, ધાર્મિક, રાજકારણીય વગેરે ક્ષેત્રોમાં અન્ય સૌ ઉપર પિતાના શક્તિ અને ચારિત્ર્યબળે વર્ચસ્વ સ્થાપના આ સત્યશોધકની મૂંઝવણ, મર્યાદાઓ, તક, અંતરાયો, આશાઓ, નિરાશાઓ, સિદ્ધિઓ, અસિદ્ધિઓની ભરચક પરંપરા વાચકના માનસચક્ષુ સામે ખડી થાય છે. અને આ મંથન અને ક્ષોભનાં વમળામાં હરિશ્ચંદ્રનું નાટક જોઈ મુગ્ધ બનેલા બાળક મોહનદાસમાંથી અન્યાય–આક્રમણની સામે નીડરતાથી ઝઝૂમતા અને અસત્યનાં બળાને ફેલાવતા કચરાના ઢગને ભસ્મીભૂત કરતી જાજવલ્યમાન અગ્નિજવાલા જમે છે તેમ શાળાના શિક્ષકે સૂચન આપ્યા છતાં ચોરી ન કરનાર બાળકમાંથી અસત્ય અને હિંસાને હંફાવી સત્યની પ્રતિષ્ઠા કરવા મથતા ગાંધીજી “ગાંધીજી' બન્યા, આ રૂપાંતરનો ક્રમિક વિકાસ “ આત્મકથા” કહી બતાવે છે. ગાંધીજીના જીવનપ્રસંગો સાદા સામાન્ય પ્રકારના છે. પણ તેમની દૃષ્ટિ અભિનવ છે. પોતે કરેલા પ્રયોગો કે એવા પ્રયોગો દરેક માનવ માટે શક્ય છે એ ગાંધીજીની . માન્યતા “આત્મકથા 'ને વાચકને સાચી લાગે છે. ભલે પોતે કદાચ જીવનમાં ગાંધીજી જેવું આધ્યાત્મિક બળ કે આત્મશ્રદ્ધા ન દાખવી