________________
અર્વાચીનેમાં આઘઃ નર્મદ
સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગેએવી રોમાંચક ઘેષણ કરતે નર્મદ કાયર અને બીકણને પણ પહાને ચડાવે છે..
પથલાં ભરવા માંડે રે, હવે નવ વાર લગાડે રે, આજ ઊઠશું, કાલ ઊઠશું, લંબા નહિ દહાડ.
થઈ મરણિયા ધસવું, ભાઈ, થઈ મરણિયા ધસવુંએવી હાકલ કરી સાહસમાં ઝંપલાવવા એ સૌને નોતરે છે. તમારા પાઠ્ય પુસ્તકમાં “રણ તો ધીરાનું” એ પદ આવી હાકલ નાખે છે. છતાં નિર્મદના માનસની બીજી બાજુનો એ ખ્યાલ આપે છે. ઉતાવળા કે આંધળિયા કરનારા થઈ, વિચાર કર્યા વિના કે ગણતરી કર્યા વિના જ મોટા કષ્ટ કે સંકટમાં ઝંપલાવવું એ સાચો માર્ગ નથી. જીવનમાં ઉદ્યમશીલ થવું, ટેક રાખવી, સંકટ કે વિદનથી ડરવું નહિ, વિરોધીઓની સાથે કળથી અને બળથી કામ લઈ સિદ્ધિ મેળવવી અને. જશ લઈ જુગ જુગ જીવવું, એ નર્મદનો અભિલાષ અને સૌને આદેશ છે. આવાં શૌર્ય અને ઉત્સાહપ્રેરક રણકતી વાણીમાં રચેલાં કાવ્યો વડે નર્મદે પ્રજાને અજ્ઞાન, વહેમ, દંભ, જડતા વગેરે સામે જેહાદમાં નોકરી અને ઉદ્યોગ, કેળવણી, સ્વદેશાભિમાન, નીડરતા અને વીરતાના ગુણેની સિદ્ધિ સર કરવા નિમંત્રણ આપ્યું. - આ જીવનવીર અને કવનવીર નર્મદ અનેક દષ્ટિએ અર્વાચીને મને - આદ્ય બની રહે છે.