________________
હ
અક્ષર ઉદ્યોગધંધાને સ્થાને આળસુપણું, જીવનમાં ડરપકવૃત્તિ વગેરે અનિષ્ટોના સડામાં પ્રજા સુધાતી હતી. ધર્મના ક્ષેત્રમાં પણ કેવળ આચારજડતા, દંભ, સ્વાર્થ અને અજ્ઞાનનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. આવી પરિસ્થિતિમાંથી પ્રજાને ઉદ્ધારવાનો કાળ જાણે પાકી ગયે હોય અને અભિનવબળોનો પ્રભાવ પ્રજાજીવનને પલટાવી નાખે, ઉપરતળે કરી નાખે એ બળાના મૂર્ત પ્રતીક સમો નર્મદ આ ટાણે આપણને ભાસે છે. સ્વભાવે સ્વતંત્ર અને નીડર, રંગીલા–મોજીલા નર્મદે પોતાની બધી શક્તિ–પ્રચારની, ભાષણની, ચર્ચાની, ગદ્ય-પદ્ય લખાણની–પ્રજાને પશ્ચિમની પ્રજાની પેઠે ઉદ્યમશીલ, વહેમ-જલન વિનાની અને ભણીગણીને સંસ્કારી થવાની, નારી પ્રતિષ્ઠા અને કેળવણી દ્વારા વ્યક્તિ અને સમાજનું ગૌરવ સમજવાની, સ્વદેશાભિમાનની વૃતિ કેળવવાની, ગુજરાતી તરીકેનું ગૌરવ સેવવાની અને જીવનમાં વીરતા દર્શાવવાની હાકલ કરવામાં ખર્ચા છે. આ સમય સંક્રાન્તિકાળનો હતો. અંગ્રેજી સંસ્કૃતિનો પ્રભાવ ૧૮૫૭માં યુનિવર્સિટી સ્થપાઈ ત્યારથી સવિશેષ આપણા એ કાળના યુવાનો ઉપર પડવા માંડયો હતો. આ અંગ્રેજી જીવન અને સંસ્કૃતિના સંપર્ક નર્મદ જેવા યુવાનોને નવજીવન-સર્જનના હિમાયતી બનાવ્યા : બીજાઓની પેઠે નર્મદે કલમ દ્વારા જ સમાજસુધારાનું કાર્ય કરવાથી સંતોષ ન માન્યો, તેણે તે નિષ્ઠા અને સચ્ચાઈના આદર્શને અનુસરીને વિધવા લગ્ન કરવાની હિંમત બતાવી. સ્વભાવે તરંગી, મોજીલા, નીડર છતાં નિષ્ઠાને જ વરેલા નર્મદે જીવનમાં કેટકેટલું વેઠયું છે!
નર્મદના જીવન પ્રકારની આ આછી રૂપરેખા પરથી એના વ્યક્તિત્વની કંઈક ઝાંખી તમને થઈ હશે. જેમ જીવનના તેમ સાહિત્યક્ષેત્રના અનેક પ્રકારો તેણે ખેડડ્યા છે. નર્મદના સમય પહેલાં એટલે કે મધ્યકાલીન યુગમાં ગુજરાતીમાં ગદ્યનો અભાવ હતો. નર્મદે ગદ્યના અનેક પ્રકારો ખેડડ્યા છે. નિબંધ, ટાંચણ-ટિપ્પણો, ઇતિહાસ, વર્તમાનપત્ર