________________
અર્વાચોનામાં આદ્ય: નર્મદ
ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અને વિકાસની રૂપરેખા દેરતાં આપણે સામાન્ય રીતે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એવા ત્રણ વિભાગેા પાડીએ છીએ. આવા વિભાગેા પાડવાની પાછળ કોઈ નિશ્ચિત વિભાજક નિયમા હોવા જોઈએ. પ્રાચીન અને મધ્યકાલીન વિભાગેાની વચ્ચેના ભેદ કરતાં મધ્યકાલીન અને અર્વાચીન વિભાગે વચ્ચેનો ભેદ ઊંડે!, વ્યાપક અને તાત્ત્વિક ગણી શકાય તેવા છે. અર્વાચીન યુગને આરભ આપણે કવિ નર્મદાશંકરના સમયથી ગણીએ છીએ અને નર્મદને અર્વાચીનેમાં આદ્ય તરીકે સ્વીકારીએ છીએ.‘ શ્રી. કનૈયાલાલ મુનશીએ ન દતે અર્વાચીનેામાં આદ્ય કહ્યો કે નરસિંહરાવ દીવેટિયાએ અર્વાચીન યુગના ડ કેસવાર તરીકે તેને બિરદાવ્યે તેમાં નદની સમગ્ર જીવનપ્રવૃત્તિએ—તેનું સમગ્ર વ્યક્તિત્વલક્ષમાં રખાય અને એ બિરુદા જેટલે અશે સત્ય નીવડે છે તેટલે જ અશે કેવળ સાહિત્યપ્રવૃત્તિને જ લક્ષમાં રખાય તે પણ સાચાં નીવડે છે. નદનાં જીવન અને કવનને યથાર્થ રીતે મૂલવવા માટે તેના સમયની પરિસ્થિતિને એના સમયની સામાજિક, રાજકીય, ધાર્મિ ક, આર્થિક વગેરે સ્થિતિને સમજવી આવશ્યક બની રહે છે, કારણ કે ન દે પેાતાનાં જીવન અને કવન પ્રશ્નને ઢંઢાળવામાં, સરકારવામાં અને પ્રગતિને પંથે ચડાવવામાં જ સમર્પા' છે. એમ કહી શકાય.
નાઁદ જન્મ્યા ઈ. સ. ૧૮૩૩માં. એ સમયનું સામાજિક અને ધાર્મિક જીવન એટલે ગાઢ સુષુપ્તિની જડતા, સમાજમાં અનીતિ, દભ, કેળવણીનો અભાવ, જડ રૂઢિની નાગચૂડ, સ્ત્રીઓની કરુણ સ્થિતિ, શ્રી કેળવણીનો અભાવ, વિધવાઓની કષ્ટમય કરુણુતા,