________________
અક્ષર
સમર્થન મળ્યું હશે એમ માની શકાય–જોકે ગાંધીજી નંદશંકરની , પેઠે દાર્શનિક હવાને બદલે જીવન-દાર્શનિક વધારે હતા. આનંદશંકરને વીસમી સદીના પહેલા ચાર દાયકાઓમાં થયેલા વિજ્ઞાનવિકાસ અને જીવન–દષ્ટિભેદોનો પરિચય પામવાનો લાભ– મણિલાલને નહોતો મળી શક્યો તે લાભ-મળ્યો હતે. છતાં અદ્વૈતસિદ્ધાંતમાં, સેવેલી શ્રદ્ધામાં કશેય સંદેહ ઉત્પન્ન થયો હોય એમ લાગતું નથી. વર્ણવ્યવસ્થામાં એમણે સેવેલી શ્રદ્ધા અંત સુધી અવિચલ રહી છેજે કે બ્રાહ્મણવર્ગે વધારે વિદ્યાસેવન કરવું આવશ્યક છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું છે. મૂર્તિપૂજાના પ્રશ્નની બાબતમાં મણિલાલની પેઠે આનંદશંકર પણ એ પદ્ધતિનું એગ્ય સમર્થન કરે છે. મણિલાલને જે પ્રશ્ન વિચાર નહતો પડ્યો તે “અસ્પૃશ્યતાને પ્રશ્ન આનંદશંકર સામે ઉગ્ર રૂપે ઉપસ્થિત થયે હતા અને “અસ્પૃશ્યતા” શાસ્ત્રસંમત નથી એવો નિર્ણય તેમણે આપ્યો હતો (જે કે પોતાના વૈયક્તિક વ્યવહારમાં બ્રાહ્મણચિત આચારનું છેક સુધી તેમણે પાલન કર્યું હતું.)
મણિલાલ અને આનંદશંકરે ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક ઈતિહાસમાં તાવણને પ્રસંગે પાક્ષિક કે એકાંગીણ દષ્ટિ સેવવાને બદલે જીવનને સમગ્રરૂપે અને સ્થિર દષ્ટિએ નિરખ્યું અને અનેક સંપ્રદાય અને વાદેના ઊછળતા તરંગોમાં તણાઈ ન જતાં ઊંડા અને વ્યાપક તત્ત્વદર્શન ઉપર જીવનને અને વ્યવહારને. પ્રતિષ્ઠિત કર્યા; ધર્મવિચારણામાં આ બે પંડિતનું એ સંગીન સમર્પણ છે.