________________
મણિલાલ અને આનંદશંકરની વિચારધારા ૩૫ માટે અવતરણો આપી તેનું વિવેચન કરીને વિષયને નિર્ણય સૂચવ એ આનંદશંકરની લાક્ષણિકતા છે. મણિલાલથી બીજી રીતે પણ આનંદશંકર ભિન્ન છે અને તે તેની સમન્વયાત્મક અર્થદર્શનરીતિને લીધે. જો કે મણિલાલ ઉપર પણ જૂનાં શાસ્ત્રવાક્યોને અભિનવ અર્થ કરવાનો આક્ષેપ થયો હતો, છતાં મણિલાલે સામાન્ય રીતે સમન્વય-રીતિનો સ્વીકાર કર્યો હોય એમ દેખાતું નથી. આનંદશંકરની આ સમવયરીતિ પણ અદ્વૈતસિદ્ધાંતમાંથી પ્રતિફલિત થતી હોય એ સંભવે છે. તેથી દર્શનેની પરસ્પર પૂરકતા અને ઉત્તરોત્તર વિકાસ પામીને કેવલાદૈતમાં તત્ત્વવિચારણાની પરિસમાપ્તિનું પ્રતિપાદન, પાશ્ચાત્ય તત્ત્વદર્શનકાના મતનું તારતમ્ય દર્શાવી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની અંતિમ ભૂમિકા તરીકે એનું સૂચન; ધર્મથી પ્રાપ્ત થતું સત્ય અને વિજ્ઞાનથી પ્રાપ્ત થતું સત્ય અભિન્ન જ હોય એ દષ્ટિબિંદુની રજૂઆતઃ આવા વિષયના નિરૂપણમાં અને ઉપસંહારમાં આનંદશંકરની લાક્ષણિક સમન્વયરીતિ સ્પષ્ટપણે નજરે આવે છે. મણિલાલની પેઠે આનંદશંકરે પણ જીવનવ્યવહારમાં કર્તવ્યની આવશ્યક્તા સ્વીકારી છે; કર્મ અને ઉપાસના અથવા ભક્તિનું મહત્ત્વ અપનાવ્યું છે. એટલું જ કે આનંદશંકર મણિલાલ પેઠે બ્રહ્મસાક્ષાત્કાર કે અભેદાનુભવને પરમ પ્રેમના સાક્ષાત્કાર તરીકે જ ઓળખાવતા નથી. “પ્રેમઘટા”, “હરી”, “દિવ્ય પ્રભાત', જેવા કાવ્યમય લાગતા લેખોમાં પણ આનંદશંકર બુદ્ધિપ્રધાન અને દાર્શનિક રહ્યા છે. આ અને “માયાવાદ” જેવા બીજા લેખોમાં આનંદશંકર ઉપપત્તિને આધારે વેદાન્તનાં પ્રમેયનું અને સિદ્ધાંતોનું વિવરણ કરે છે. આનંદશકર આમ દાર્શનિક દષ્ટિએ યુક્તિપુરસર કેવલાદ્વૈતનું પ્રતિપાદન અને સમર્થન કરે છે, છતાં ઉદાર સમન્વયદષ્ટિ પણ સેવી શકે છે એ વસ્તુસ્થિતિ જ તેનું ઔદાર્ય સૂચવે છે અને અદ્વૈતમાં સર્વ દ્વૈતનો લય થાય છે એ ન્યાયનું નિદર્શન પૂરું પાડે છે. આનંદશંકરની આ દષ્ટિને ગાંધીજીની ધર્મભાવના અને જીવનભાવનાના સંપર્કથી