________________
૩૪
અક્ષરા રહેલી છે, એમ યુક્તિપુરઃસર પ્રતિપાદન કર્યું. આ દુર્ઘટ કાર્ય કરવાનું બુદ્ધિસામર્થ્ય, શાસ્ત્રાભ્યાસ, પ્રાચીન–અર્વાચીનના સારાસારની તુલના કરવાની શક્તિ વગેરે ગુણેને બળે જ મણિલાલનાં મંતવ્યો આજે ય પરિશીલનપાત્ર છે.
અગિયાર વર્ષે ઉમરમાં મેટા એટલા જ કારણથી નહિ પણ ધર્મ અને જીવન-દર્શનના વિષયમાં દષ્ટિ-ન્સાયને કારણે પણ મણિલાલને આનંદશંકરના “વિદ્વાન જ્યેષ્ઠ બધુ' આપણે ગણું શકીએ. મણિલાલની પેઠે આનંદશંકર પણ પ્રાચીન આર્યભાવનાના પ્રશંસક–પૂજક હતા અને શાંકર વેદાન્તના અનુયાયી હતાં. મણિલાલનો અધ્યાત્મમંડલ (Theosophical Society ) માટેને પક્ષપાત આર્દ હતો કારણ કે એ સંપ્રદાયે પ્રાચીન આર્ય ધર્મનું પોતાની રીતે પુનઃપ્રતિપાદન કર્યું હતું. આવા જ કારણે આરંભમાં આનંદશંકર પણ થિયોસોફી તરફ કંઈક આકર્ષાયા હતા. પણ સિદ્ધાંતસારમાં મણિલાલે કરેલા પ્રૌઢ પ્રતિપાદનથી કેવલાદ્વૈત સિદ્ધાન્તને નિશ્ચયાત્મક સ્વીકાર તેમણે કર્યો હતો.
મણિલાલ અને આનંદશંકર બંનેએ ધર્મ, વ્યવહાર, ઈશ્વર અને જીવનનો સંબંધ, મોક્ષનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, અધિકારભેદ, કર્મ–ભકિત અને જ્ઞાનનો પરસ્પર સંબંધ, ભગવગીતાનો કર્મયોગ વગેરે વિષયોનું વિવરણ કર્યું છે, તે ઉપરાંત નારી પ્રતિષ્ઠા, સ્ત્રી– કેળવણી, આશ્રમ અને વર્ણની વ્યવસ્થા જેવા વ્યાવહારિક વિષયો પણ ચર્ચા છે. પણ મણિલાલે જાતે જ એક સ્થળે કહ્યું છે કે હું તે પ્રાચીન ભાવનાને “વકીલ' છું, તેથી તેની પ્રતિપાદન-પદ્ધતિ પક્ષકારની પદ્ધતિ હેય એ સ્વાભાવિક છે. મણિલાલને મતે બીજા ધર્મો કરતાં પ્રાચીન આર્ય ધર્મ જ સત્ય-દર્શનનો સારામાં સારે અને સીધામાં સીધા માર્ગ છે. આથી ઊલટું, આનંદશંકરનું પ્રધાન. લક્ષણ સન્મુખ તટસ્થતા છે. કોઈ પણ વિષયના વિવરણમાં સમર્થન