________________
મણિલાલ અને આનંદશંકરની વિચારધારા ૩૩ તત્વજ્ઞાન અને ઇતિહાસનો સમાવેશ થાય છે ) અને યુકિત (Reason) આ બે પ્રમાણે મણિલાલ સ્વીકારે છે. પણ શાસ્ત્રમાં કેવળ વેદવેદાંતનો જ સમાવેશ નહિ પણ જગતનાં કઈ પણ દેશનાં શાસ્ત્ર અને વિજ્ઞાનવિકાસથી ઉપલબ્ધ થતા જ્ઞાનનો પણ સમાવેશ કરે છે. અબત્ત, મણિલાલની એ દૃઢ માન્યતા છે કે આર્ય ધર્મ સત્ય
સ્વરૂપને પામવાનો ઉત્તમોત્તમ માર્ગ છે અને તેથી જ તેની આવેશમય હિમાયત તેણે કરી છે.
- મણિલાલે “સુધારાનો વિરોધ કર્યો છે એ સાચું છે; પણ તે સુધારાના વિરોધી હતા એવી માન્યતા ભૂલભરેલી હવા - છતાં બહુ પ્રચાર પામી છે. મણિલાલ સુધારાની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: “સુધારાને અર્થે હું મારે પિતાને માટે એટલે જ માનું છું કે ઘણા માણસની જે પ્રકારે એકતા થાય અને તેથી આખા સમૂહની ઉત્તરોત્તર કાર્ય સાધવાની શક્તિ વધે એવાં જે સાધને, સાહિત્ય, વિચારો ઇત્યાદિ હોય તે બધું સુધારો છે. સુધારાનું તત્ત્વ હું એકતા, ઐક્ય, સંપ એમાં સમજું છું...... સુધારે તે મન અને મનનું ઐક્ય થાય. વિચાર અને વિચારનું ઐક્ય થાય, કર્તવ્ય અને કર્તવ્યનું રિએક્ય થાય, સર્વનું લક્ષ એકની એક ભાવના ઉપર રહે એ વખત આવે ત્યારે જ થાય છે એમ હું માનું છું.' આ મૌલિક દૃષ્ટિએ જ એમણે કહેવાતા સુધારાને વિરોધ કર્યો, વિધવાવિવાહનો નિયમરૂપે વિરોધ કર્યો, લગ્ન અને ગૃહસ્થાશ્રમની પવિત્રતાનો આગ્રહ રાખે. છતાં સ્ત્રી કેળવણીની હિમાયત કરી, “દયા ખાતર” કોઈ વૈયક્તિક પ્રસંગ પુનર્લગ્ન આવશ્યક હેય તે કરવાની છૂટ મૂકી.
મણિલાલે નિષેધાત્મક–પ્રવૃત્તિહીન અને તેથી અનુપયોગીમનાતા અદ્વૈતવાદનું જીવનવ્યવહારમાં પ્રતિષ્ઠાપન કર્યું અને વેદાન્તની અંતિમ સિદ્ધિ કર્તવ્ય દ્વારા જ અભેદાનુભવ પામવામાં અ. ૩