SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મણિલાલ અને આનંદશંકરની વિચારધારા ૩૧ સ્વાભાવિક છે. ખ્રિસ્તી ધર્મના સિદ્ધાતોના આકર્ષણે બ્રહ્મસમાજને જન્મ આપ્યો હતો અને તે આ સમયે પ્રાચીન ધર્મની વિરુદ્ધ સેવાતી મનોવૃત્તિનું પ્રતીક હતું. મુંબઈ અને અમદાવાદમાં પ્રાર્થના-સમાજની સ્થાપના વેદ અને વેદપ્રતિપાદિત સિદ્ધાન્ત પ્રત્યે તિરસ્કાર નહિ તે અનાસ્થામાંથી જ થઈ હતી. વેદ પ્રત્યે અપ્રામાણ્ય–બુદ્ધિ, જન્માક્તરવાદને અસ્વીકાર, મૃત્યુ પછી વૈયક્તિક જીવનનું શાશ્વત લકાતરમાં સ્થાન, પ્રાર્થના દ્વારા ઈશ્વરની ઉપાસના, ઈશ્વરના નીતિવિધાનને અનુસરી તેની પ્રીતિ મેળવવી વગેરે લક્ષણોને લીધે પ્રાર્થનાસમાજ પણ બ્રહ્મસમાજની પેઠે ખ્રિસ્તી ધર્મને રંગે રંગાયેલી છે એવા આક્ષેપ પણ થયા હતા અને રમણભાઈ એ એ આક્ષેપના ઉત્તરો પણ આપ્યા હતા. આ સમયે “પ્રાચીન” તરફ કેટલી વિમુખતા હશે અને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે કેટલું આકર્ષણ હશે તે “કાન્ત” જેવી વ્યક્તિના ધર્માન્તર–સ્વીકારના પ્રસંગ ઉપરથી સમજી શકાય એમ છે. પ્રાચીન ધર્મ–પ્રણાલીનાં પણ અંગોપાંગે કેટલી હદે અનિષ્ટ વિકૃતિ પામ્યાં હશે તે “મહારાજ લાયબલ કેસ' જેવા પ્રસંગ ઉપરથી કલ્પી શકાય છે. ધર્મના અને આચારના પરિશધનની દૃષ્ટિથી ગુજરાતમાં ભક્તિ-નીતિ-સદાચાર–પ્રધાન સ્વામિનારાયણ સંપ્રદાય પણ અસ્તિત્વમાં આવ્યો હતો. આર્યસમાજ પણ ધર્મ અને દર્શનને વેદેકપ્રતિપાદ વિશુદ્ધ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાના હેતુથી પ્રચાર પામતો હતો. આ જ ગાળામાં થિયેસેફિકલ સોસાયટી, જે પ્રાચીન ભારતીય ધર્મનાં તરોને પ્રધાનપણે અનુસરતી હતી તેનું, ગુજરાતમાં અવતરણ થયું. આમ ગુજરાતના ધાર્મિક જીવનમાં અને જીવનવ્યવહારમાં મહાક્ષેભ પ્રસર્યો હતો. ગુજરાતને આ સમયે સમર્થ, દૂરદર્શી અને દીર્ઘદશી વિચારકે સાંપડ્યા એ ઓછા સૌભાગ્યની વાત નથી. પશ્ચિમની સંસ્કૃતિની તેજસ્વિતા માત્રથી અંજવાને બદલે તેનું પણ સૂક્ષ્મ તારતમ્ય-દષ્ટિએ મૂલ્યાંકન કરનારા, આપણું પ્રાચીનને કેવળ ભાંડવાને બદલે તેના સાચા સ્વરૂપને યથાર્થરૂપે સમજીને રજૂ કરનારા
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy