________________
મણિલાલ અને આનંદશંકરની
| વિચારધારા , પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યના પ્રબળ પ્રભાવથી ઓગણીસમા શતકમાં સમગ્ર ભારતની પેઠે. ગુજરાતનું જીવન પણ સળકી ઊઠયું હતું. “અરુણું પ્રભાત” ઊગતાં અનુભવાય એવી પ્રેરણા અને દૃષ્ટિ-શક્તિ સાંપડતાં ઉદ્દામ ઉત્થાનવૃત્તિ ગુજરાતે પણ સેવી અને અભિનવ જીવનવિધાન અને જીવન–ભાવનાઓ અપનાવવા એ તત્પર બન્યું. વૈયક્તિક, સામાજિક, રાજકીય, પ્રજાકીય, આર્થિક, ઔદ્યોગિક અને ધાર્મિક જીવનનાં બધાં ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આણું નવસર્જન કરવાના કોડ જાગ્યા. કેવળ ધાર્મિક વિચાર અને આચારની જ નહિ પણ શિક્ષણ, લગ્નસંસ્થા વર્ણવ્યવસ્થા, જ્ઞાતિ-સંસ્થા, સ્ત્રીપુરુષના સંબંધો જેવા સામાજિક અને વ્યાવહારિક પ્રશ્નોની બાબતમાં પણ પ્રાચીન દષ્ટિ અને સરણી શંકાપોત્ર બની. બકે તિરસ્કારપાત્ર બની; એને તિલાંજલિ આપીને જ્ઞાતિબંધનનો ઉચ્છદ, વિધવાવિવાહ, સ્ત્રી-પુરુષની સમાનતા, સ્ત્રી–કેળવણી – એક શબ્દમાં કહીએ તે “સુધારા”ની દૃષ્ટિ અને સરણીને પ્રચાર કરવા ભગીરથ પ્રયત્ન કરાયા. દુર્ગારામ મહેતાજીથી માંડીને નર્મદ, મહીપતરામ, ભેળાનાથ, કરસનદાસ મૂળજી વગેરે અનેક વ્યક્તિઓની અનેક-મુખ “સુધારા”પ્રવૃત્તિથી મુંબઈ, અમદાવાદ અને સુરત “સળગી ઊઠડ્યાં હતાં અને આ પ્રવૃત્તિએ સરજેલાં આદેલને સમગ્ર ગુજરાતમાં ઝીલાતાં હતાં.
ભારતીય જીવનદષ્ટિ ધર્મ–પ્રધાન છે તેથી ધાર્મિક સિદ્ધાંત અને આચાર-વિચાર ઉપર પ્રચંડ પ્રહારે આ કાળમાં થાય એ