SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યનાં બે અમર પાત્રો દર્શન કરાવાય છે. અલૌકિક ભૂમિમાં અલૌકિક સ્વપ્નદર્શન દ્વારા એકબીજાનું હદયનું અદ્વૈત વ્યક્ત કરાય છે અને કાર્યક્ષેત્રોની દિશાનું સૂચન મળી રહે છે. ઘણી પ્રશ્નોત્તરી અને ચિકિત્સા પછી કુમુદસુંદરી પોતાનું આધ્યાત્મિક બળ વ્યક્ત કરતાં કહે છે: “આપની જે કુમુદ સ્વભાવે રંક, અજ્ઞાની, લજજાશીલ છે તે બલવતી, પ્રબુદ્ધ અને ધૃષ્ટ બની છે. સરસ્વતીચંદ્રને પ્રેરણારૂપ બનવા અને તેનાં કાર્યોમાં સહકાર આપવાનો નિર્ણય વ્યક્ત કરતાં કહે છે કેઃ “શયનમાં રભા થવા સિવાય હું એમનાં બધાં સ્ત્રીકાર્ય કરીશ. પોતે વિધવા થઈ છે એ જાણ થતાં એને આ નિર્ણય વધારે દઢ બને છે. . આ પરિસ્થિતિમાં સરસ્વતીચંદ્રને મિત્ર ચંદ્રકાન્ત આવી પહોંચે છે અને સાંસારિક જગતને અનુકૂળ થાય અને સરસ્વતીચંદ્ર અને કુમુદને અશરીરિણી પ્રીતિ પુષ્ટ થયા કરે તે માર્ગ સૂચવતાં કહે છે કે સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન જે આજન્મ બ્રહ્મચારિણી રહેવા ઇચ્છતી હતી તેની સાથે લગ્નસંબંધ બાંધવો. સરસ્વતીચંદ્રનું લગ્ન કુમુદ સાથે ન કરતાં કુસુમ સાથે કરાયું છે એ પ્રસંગે સામાજિક અને કલાદષ્ટિએ ઘણે ઊહાપોહ જ્ઞાડ્યો હતો. વિધવાવિવાહને પ્રસંગ ટાળીને ગોવર્ધનરામે જુનવાણી વિચાર અને પ્રણાલી આગળ નમતું મૂક્યું છે અને કલાદષ્ટિએ કથાને હાનિ પહોંચાડી છે એવા આક્ષેપ પણ થયા છે. સરસ્વતીચંદ્ર અને કુમુદ જેવાં અપાર્થિવતાની ઝાંયવાળાં પાત્રોની આધ્યાત્મિક પ્રીતિને પાર્થિવ સંબંધથી દૂર રાખી - છે તે સમગ્ર દષ્ટિએ જોતાં યોગ્ય લાગે છે. આટલેથી ન અટકતાં સરસ્વતીચંદ્રનું કુસુમ સાથે લગ્ન કરાવ્યું છે તે કેટલે અંશે અપરિહાર્ય છે એ ચર્ચાનો વિષય છે.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy