________________
૨૮
અક્ષર અને સાધ્વીઓ આવા સંબંધને ઉત્તેજે એ એને દુઃખકર લાગ્યું પણ સુંદરગિરિ ઉપર વસતાં સાધુ અને સાધ્વીઓની જીવનભાવના ઊંડી સૂઝવાળી અને તપોમય હતી. સાવીઓએ સંસારની પ્રણાલીએ કુમુદ ઉપર લાદેલા પતિ પ્રમાદધનને જાર ગણ્યો અને કુમુદના ચક્ષુરાગ અને મનઃપ્રીતિ જેના તરફ ઢળ્યાં છે તે સરસ્વતીચંદ્ર જ તેનો સાચો પતિ છે એમ સમજાવ્યું. કુમુદ અને સરસ્વતીચંદ્રની પ્રીતિ સંપ્રત્યયાત્મિકા હતી અને પરસ્પર સંવનન થઈ ચૂકયું હતું. પ્રમાદધનને તે પતિ તરીકે ગણતી હતી. તેમાં અભિમાનિકા અને અભ્યાસિકા પ્રીતિ હતી. આ છેલ્લા પ્રકારની પ્રીતિ સાચી નથી. તેના દ્વારા સ્ત્રી-પુરુષનો વિકાસ અને ઉન્નતિ થતાં નથી. કુમુદે સરસ્વતીચંદ્રનો સહવાસ પ્રયોગ માટે સેવવાની સંમતિ આપી. '
સરસ્વતીચંદ્રને પણ પ્રીતિના પ્રકાર અને યજ્ઞભાવનાઓ અને સ્વરૂપોની સમજ અપાઈ હતી. કેટલુંક તે તે આપમેળે સમજતો હતો. તે કુમુદના હદય પર કોઈપણુ આઘાત ન થાય તે જોવા ઉત્સુક હતો. સરસ્વતીચંદ્ર સૌમનસ્યગુફામાં અને કુમુદ વસંતગુફામાં જોડાજોડ રહ્યાં. બંનેનાં હદયનો ક્ષોભ ક૯પવો રહ્યો. કુમુદનું પોતાની પરિસ્થિતિ નિરૂપતું ગીત સરસ્વતીચંદ્ર સાંભળ્યું. મૂર્ણિત થયેલી કુમુદને રવસ્થ કરી અને આ પ્રસંગથી એકબીજાનાં હદય ખેલવાની પ્રક્રિયા શરૂ થઈ.
- કાલિદાસે દુષ્યત-શકુંતલાનો મેળાપ સ્વર્ગભૂમિમાં કરાવ્યો છે; ભવભૂતિએ રામસીતાનો પ્રસંગ દંડકારણ્યમાં વર્ણવ્યો છે, પણ એ પ્રસંગેમાં શંકુતલાએ કે સીતાએ દુષ્યત કે રામને પ્રશ્ન પૂછી પોતાના પરિત્યાગનાં કારણોની વિગતો જાણવા પ્રયત્ન કર્યો નથી. સરસ્વતીચંદ્ર અને કુમુદ એવા જ ઉદાત્ત વાતાવરણવાળા પ્રદેશમાં મળ્યા છે, અને એકબીજાનાં મન અને હૃદયની સ્થિતિની મીમાંસા અને ચિકિત્સા કરે છે. બંનેને સ્વપ્નમાં સૌભાગ્યદેવી તરફથી દંપતી–ભાવસૂચક વેત કમળ જ્યોતિરૂપ વસ્ત્ર ઢાંકી દે છે તેનાં