SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે. સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના સુષ્ટિના જડ અને ચેતન પદાર્થો, તેમનાં સ્વરૂપ, ગુણદોષ, પરસ્પર સંબધ વગેરેનું અવલોકન કરી, તેમનાં શો રચીને તેમને જ્ઞાનના વિષય બનાવવા એ વિદ્યાયજ્ઞ. આ વિદ્યાયજ્ઞ અનત છે અને સ્વરૂપે ભૂતયજ્ઞ જ છે. 4 દેવયજ્ઞ અથવા ઋતયજ્ઞ-સંસારમાં ઈન્દ્રિયો વડે જે કંઈ પ્રત્યક્ષ થાય છે તે અત્યંત સત્ય નથી. સંસારમાં જે જે સત્ય કહેવાય છે તે સર્વ શાસ્ત્રમાં પણ સત્ય હોય એમ નથી. સંસાર ચંદ્રના તેજને ચંદ્રનું જ માને છે, પણ શાસ્ત્ર તો તેને સૂર્યનું તેજ ગણે છે. આમ શાસ્ત્ર દ્વારા સૃષ્ટિના સર્વ પદાર્થો, તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, તેમના વ્યવહાર અને વ્યવસ્થાઓના પ્રવાહ-આ અસંખ્ય વિષયો નિરંતર ગતિમાન છે અને તેમની ગતિનું અને સંબંધોનું યથાર્થ સ્વરૂપ તે તે વિષયના દ્રષ્ટાઓ શોધે છે. તેમને જે સત્ય પ્રત્યક્ષ થાય છે તે ઋત કહેવાય છે. (ઋત-ગતિમાન હોવું.) સકળ સમષ્ટિના અંશોનું નિરૂપણ અને અનેક દેશીય દર્શન કરનારાઓ 5 ( Dynamic Law and Aspect of the First Principle)ને પ્રત્યક્ષ કરે છે. સકળ અને સંપૂર્ણ ઋત્ તે યોગીને ઋતંભરી પ્રજ્ઞા–સર્વ લક્ષ્ય પદાર્થોની પાછળ રહેલા પરમ તવના લક્ષ્યરૂપને પામી શકે તેવી પ્રજ્ઞા–દ્વારા થાય છે અને જ્યારે યોગીને પ્રજ્ઞાપ્રસાદ થાય ત્યારે સર્વ દિશા, સર્વ કાળ અને સર્વ વિષયો એકલામાં તે પ્રત્યક્ષ કરી શકે છે. ઋતદર્શન પામનારા યેગીઓ વિશ્વની ગતિ અને વિકાસની પાછળ રહેલા મહાનિયમનું અને સૃષ્ટિનું રહસ્ય સમજે છે અને લોકકલ્યાણના હેતુ અને અનેક માર્ગો જાણી શકે છે. આ દર્શન માટે યોગીઓ જે યજ્ઞ સાથે તે ઋતયજ્ઞ, તે દેવયજ્ઞ પણ કહેવાય છે કારણ કે તે દ્વારા સાત્વિક બુદ્ધિ, સત્વની અને દેવેની તૃપ્તિ થાય છે. : 5 બ્રહ્મયજ્ઞ–ઋત સત્ય છે, પણ સાપેક્ષ સત્ય છે. પરમ તત્વથી જે નિર્ણ, નિષ્ક્રિય, નિર્વિકાર અવસ્થા જેમાંથી સર્વ
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy