SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષણ સમાવેશ મનુષ્યયજ્ઞમાં જ થાય છે. સંસારના સામાન્ય વ્યવહારના બીજા સંબંધે દ્વારા જે વ્યક્તિનું સન્માન કરવું આવશ્યક બને તે વ્યક્તિ “આગન્તુક અતિથિ " કહેવાય. સાંસારિક લગ્ન જોડાયેલાં અને હદયનું સ પૂર્ણ અદ્વૈત ન પામેલાં પતિ-પત્ની એક કે બીજા પ્રકારનાં અતિથિ જ છે. પણ સાધુજનોની પેઠે જેનું દામ્પત્ય સદ્ભવૃત્તિ ઉપર અવલંબતું હોય અને હદયના અદ્વૈતમાં પરિણમ્યું હોય ત્યાં યજમાન–અતિથિને સંબંધ જ નથી. હૃદયનું અદ્વૈત, પ્રીતિની સૂક્ષ્મતા અને ધર્મ સહચારની સંપૂર્ણતા એ ત્રણના સાધનથી દંપતી પરસ્પરના પોષણ અથે રચે તે પ્રતિયજ્ઞ છે.. - માતાપિતા વગેરે “આકારક અતિથિ તરફના આપણું ધર્મમાં તેની યોગ્યતા કે અાગ્યતાના વિચારને અવકાશ જ નથી, પુત્રપુત્રી વગેરે “આમન્વિત અતિથિની યોગ્યતા - અયોગ્યતાને વિચાર આમંત્રણ આપ્યા પહેલાં કરવાનું છે. પણ તે પછી તો આપણું ફરજો અવશ્ય કર્તવ્ય બને છે. માત્ર “આગંતુક અતિથિ તરફના આપણા ધર્મોમાં તેની પાત્રતા–અપાત્રતાને વિચાર કરવો ઘટે. અપાત્ર ‘આગન્તુક અતિથિનો ભૂતયજ્ઞમાં સમાસ થાય છે. 3 ભૂતયજ્ઞ–અતિથિ ન થઈ શકે તેવા મનુષ્ય અને પશુપક્ષી વગેરે જંતુઓની તૃપ્તિ માટે જે યજ્ઞ કરાય (આપણુ તેમના તરફની જે ફરજો) તે ભૂતયજ્ઞ. તેમના ઉદ્ધાર માટે દયા રાખીને આ યજ્ઞ કરાય છે માટે તે દયાયણ પણ કહેવાય. જે ભૂતના (beings) સંસર્ગથી ધર્મમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાનિ થવા સંભવ હોય તે ભૂતનો ઉદ્ધાર આપણા હાથમાં નથી એમ માનવું–દયાને ખાતર દયા ન રાખવી. યજ્ઞકાર્યને માટે જે સામગ્રીએ જોઈએ અને તે એકઠી કરવામાં જડચેતન ભૂતો સાથે વ્યવહાર કરવો પડે તે વ્યવહાર કહેવાય. આ યજ્ઞ બહુધા સકામ ફળની આશા રાખીને થાય છે.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy