SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 17. સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના છે જ્યારે ફલાદેશમાં અને આપણી દૃષ્ટિએ ભાસતા ધર્મમાં વિરોધ હોય ત્યારે વ્યવસ્થા એવી છે કે “અલક્ષ્ય પરમાત્માની લક્ષ્મ દૃષ્ટિ સપુરુષના હૃદયમાં સ્ફરે છે તેને જ પ્રથમ આદર આપો” આવી નિર્મળ “અંતઃકરણની પ્રવૃત્તિને જે આવશ્યક ધર્મ લાગે તે અવશ્ય આચરે, જે અધમ્ય લાગે તે વજેવો અને જ્યાં ધર્માધર્મને પ્રશ્ન ઉપસ્થિત ન થતું હોય ત્યાં સૌ પોતાની સ્થૂળ-સૂક્ષ્મ-શરીરની રસવૃત્તિ પ્રમાણે વતીને સંસ્કારને પરિપાક પામે છે. સાધુજનો તો વ્યવહારમાં પ્રાપ્ત સ્થિતિને અનુકૂળ થઈ જાય છે, અને અપ્રાપ્તને માટે એષણ સેવતા નથી. છેલ્લા પ્રશ્નના ઉત્તરમાં વિષ્ણુદાસ કહે છે કે જેમ તિઃશાસ્ત્રમાં નાડીચો વર્ણવેલાં છે અને તે મનુષ્યનાં શરીર, બુદ્ધિ, વાસનાઓ અને ભાગ્યને સૂર્યમંડળ અને ગ્રહોનાં નાડીચક્રમાં પ્રવર્તાવે છે તેમ અલખ-મત પણ એવાં નાડીક્ર વર્ણવે છે. આવાં નાડીચક્રમાં અંશભૂતિ પ્રીતિનું નાડીચક્ર પણ છે. શુદ્ધ ધમ્ય પ્રીતિથી સંધાયેલાં દમ્પતી વચ્ચે આવાં નાડીચક્રો છે અને તેથી સિદ્ધિના નાડીચક્રને બળે ઉત્કર્ષ પામનાર પતિની સાથે પતિવ્રતા સ્ત્રી પણ આકર્ષાય છે અને ઉત્કર્ષ પામે છે. અને આથી જ જ્યારે વિષ્ણુદાસ સરસ્વતીચંદ્ર સિદ્ધ કરવાના હેતુથી તેના શરીરમાં પ્રવેશ કરી તેની અવશેષ રહેલી સૂક્ષ્મતમ વાસનાઓને બાળી દેવા માટે જે નાડીસંયોગ રચશે તેના આકર્ષણના હેલારા જેમ સરસ્વતીચંદ્ર અનુભવશે તેમ “મધુરીમૈયા” પણ સત્ય નાડીકથી જોડાયેલી હશે તે તે પણ કેટલેક અંશે અનુભવશે. (પ્રકરણ–૨૪) - સનાતન ધર્મ સંસારી જનોના આચાર વગેરેના નિયમો મનું વગેરે મહાત્માઓએ આપ્યા છે. આ ધર્મશાસ્ત્રોમાં સમાજને સંરક્ષવાનું, વ્યવસ્થિત રાખવાનું ધ્યેય હોય છે. પણ તેના નિયમ અનેક દેશકાળના વિચારોથી ઘડાયા છે. તેથી તે સર્વથા સનાતન અ. 2
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy