________________
અક્ષર આ પ્રીત, વૈરાગ્ય અને વિદ્યા-આ ત્રિપુટીના અપુર્વ સંગથી ઊભરાતા રસનું ચંદ્રાવલીનાં વચનોમાંથી પાન કરી સંતૃપ્ત થયેલ સરસ્વતીચંદ્ર નકટો નો: તિર્થધા જેવી સ્થિતિ અનુભવે છે. (પ્રકરણ–૨૩) .
વિષ્ણુદાસ શિષ્યમંડળ સાથે બેસીને સરસ્વતીચંદ્ર સંબધે વાતચીત કરતાં કહે છે કે થોડા દિવસ માટે સરસ્વતીચંદ્રને ચિરંજીવ શંગ ઉપર વાસ આપે છે. ત્યાં તેને અનેક સિદ્ધોને સમાગમ થાય તે ત્રણે મઠનું અપૂર્વ કલ્યાણ થાય. કારણ કે મારી પછી યદુશગના અધિષ્ઠાતા તરીકે કાર્ય કરવાને સરસ્વતીચંદ્ર ઉત્તમ અધિકારી છે. તેને સંસારના અનુભવ અને સાધુજનના ઉત્કર્ષ–આ બર્નને અનુભવ છે. અને જ્યોતિશાસ્ત્ર સરસ્વતીચંદ્રને મહાન ત્યાગને અને તે દ્વારા યશૃંગને થવાના મહાન લાભના પ્રહ–ગ બતાવે છે. ચંદ્રાવલી પણ સરસ્વતીચંદ્રને ચિરંજીવથંગ ઉપર રાખવા માગે છે. પણ તે બીજા જ, કુમુદ સાથેની સૂક્ષ્મ પ્રીતિના પરિપાકના હેતુથી, વિષ્ણુદાસના આ ઉદ્ગારો અનેક પ્રશ્નો અને શંકાઓ ઉપજાવે છે. જ્યોતિશાસ્ત્ર વર્ણવેલા ગ્રહયોગ શી રીતે માનવની ગતિનું નિયમન કરી શકે છે? - એ ગ્રહ-ગ જ જે માનવીની ગતિ કે ભાવિ ઘડતો હોય તે માનવીએ કર્મ કરવાની શી જરૂર? ઈશ્વરેચ્છા બળવાન કે ગ્રહયોગ ? તિઃ શાસ્ત્રના ફલાદેશ અને માનવીને ભાસતા ધર્મ વચ્ચે વિરોધ હોય ત્યારે શું કરવું ? પુરુષની સંસિદ્ધિ દ્વારા સ્ત્રીની સંસિદ્ધિ શી રીતે થઈ શકે ? વિષણુદાસે કરેલું સમાધાન આ પ્રમાણે છેઃ પરમાત્માના વિશ્વરૂપમાં ગ્રહો અંશભૂત છે, અને તેમનાં નાડીચક્રનું મૂળ પરમાત્માની ઈચ્છા સાથે જ સધાયું છે. અને તેથી સર્વત્ર એ ઈશ્વરેચ્છા નિયામક તરીકે પ્રવર્તે છે. જ્યોતિશાસ્ત્ર આ ગ્રહયોગ વગેરે ફલાદેશ બનાવે છે તેથી મનુષ્યની ગતિ અને ઈશ્વરેચ્છાના માર્ગો પ્રકાશમાં આવે છે–પણ તેથી મનુષ્યનાં ધર્મ અને કર્તવ્ય નષ્ટ નથી થતાં, માટે ફલાદેશે વ્યક્ત કરેલી ગતિને પામવા માટે માનવીને અનુકૂળ પુરુષાર્થ આવશ્યક બને