________________ 15 સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના એ જ સાચે માર્ગ છે અને કદાચ આ યોગ સાધવા જતાં ભ્રષ્ટ થઈ જવાય તે પણ એ યોગભ્રષ્ટના ભોગે કલ્યાણકર છે અને તેની ગતિ સરવાળે ઊર્ધ્વગામી છે. * સાચા શમને માટે તે ત્રણે શરીર–કારણ, સૂક્ષ્મ અને સ્થૂલ–ની સંસિદ્ધિની આવશ્યકતા છે. સ્કૂલ શરીર (અનમય કેશ)ની જુદી જુદી અવસ્થાઓ દ્વારા અને પિતાની શક્તિથી સૂક્ષ્મ શરીર (પ્રાણમય કોશ, મનમય કોશ, વિજ્ઞાનમય કેશ) સૂક્ષ્મતર થતું જાય છે, અને કારણ શરીર પૂર્વસંસ્કારોને પોતાની સાથે લઈ જાય છે, અને કમેક્રમે સૂક્ષ્મ શરીર જેમ જેમ સૂક્ષ્મતામાં વધતું જાય છે તેમ તેમ વાસનાશરીર વધ્યા કરે છે. પણ જેવું સૂક્ષ્મ શરીર સંસિદ્ધિ દિશામાં આવે છે કે તરત જ વાસનાશરીરને હાસ થવા માંડે છે, અને તે સાથે સુક્ષ્મ શરીરની શક્તિ સંસારનાં કલ્યાણકાર્યમાં ખરચાવા માંડે છે. આથી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થાય છે અને અહંતા મમતા, રાગ, દ્વેષ વગેરે દ્રો ગળી જતાં વાસના સમષ્ટિરૂપ ધારીને ક્ષીણ થઈ જાય છે. વાસના શરીર શાંત થયું એટલે સૂક્ષ્મશરીર સૂક્ષ્મતમ થઈ શાંત થાય છે, અને સ્થૂલ શરીર બૂઝાયેલા દીવાની વાટ પેઠે પડયું રહે છે. આવા સર્વાગીણ પરિપાક વિના કેવળ વિદ્યાને બળે કે જડતાથી જે કઈ વાસનાને શાંત કરવા મથે તે અસગ્રહથી અધીરી થઈ વૈરાગ્ય શોધે છે પણ તે કેવળ આત્મઘાત જ કરે છે અને તમે ગુણમાં સરી પડે છે. સ્થૂલ શરીર પોતાના * વિપાકથી જ નષ્ટ થાય અને સૂક્ષ્મ તથા કારણુ શરીર કર્મના વિપાકને અંતે જાતે જ સંસિદ્ધ થાય ત્યારે શુદ્ધ શમ પામી શકાય અને મુદિતાશયની સંસિદ્ધ દશા અનુભવી શકાય. આ મુદિતાશયને પ્રાપ્ત થયેલા સિદ્ધજનોને બધા વિધિનિષેધ સ્વયંભાત હોય છે–શાસ્ત્રના વિધિનિષેધ તેમને બાધક નથી. તેઓ લેકે પકારના અનેક માર્ગો આપોઆપ જ ગ્રહી શકે છે. “અલખ યોગીઓને આશય, સંસારના ભ્રષ્ટાચારથી દૂર રહી, માત્ર વૃક્ષના જેવા ઉપકાર કરવાથી તૃપ્ત થાય છે.”