SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ - અક્ષર તેથી એ સમજીને લઈ શકાય તેવી વયે કન્યાનાં લગ્ન થવાં જોઈએ. સપ્તપદીના મંત્રો જ દર્શાવે છે કે લગ્ન પહેલાં સંવનન અને પરસ્પરનું સ્નેહ-પરિશીલન થયું તેવું જોઈએ. વળી, સંસારીઓની દામ્પત્ય-દષ્ટિમાં અને સાધુજનની દૃષ્ટિમાં કામના ભિન્ન ભિન્ન પ્રકારોને લીધે ભેદ છે. કામ, ભોગ અને પ્રીતિ-એ ત્રણ મન્મથની અવસ્થાઓ છે અને કામના પણ પાશવ, જાર, પરિશીલક અને પુત્રાયિત એવા ચાર ભેદ છે. તેમાં પાશવકામ ધર્મ–અધમ –વૃત્તિથી શૂન્ય કેવળ ભેજય-ભોજકના સ્થળ સંબંધ બાંધે છે. જારકામ અધમ્ય છે, સમાજને હાનિકારક છે અને સ્ત્રી-પુરુષ બંનેના કલ્યાણનો વિવંસક છે. પરિશીલક કામ સંવનનકાળથી વિવાહ કાળ સુધી બીજદશામાં રહે છે અને વિવાહ પછી જ તેની ભાગદશા અને રતિસમૃદ્ધિ ઉદય પામે છે. આ સૂક્ષ્મ કામની જ્યોત સંયોગે ને વિયોગે કન્યા કરે છે અને દમ્પતીનાં હદયોમાં સ્નેહનું અદ્વૈત વ્યક્ત કરે છે. તે કવચિત્ નિષ્કામવૃત્તિથી સ્થૂળ વાસનાઓને લાલનથી પડ્યું છે તે કવચિત અંકુશ મૂકીને તેમને નિરોધ કરે છે–આ બંને રીતે તે નિરંતર દીપ્ત થતું રહે છે. વિવાહ પછીના આ પુત્રાયિત કામમાં દમ્પતી સ્થળ શરીર અને વાસનાઓને બદલે સૂક્ષ્મ શરીર ઉપર મીટ માંડે છે અને તે દ્વારા સંક૯પાદિની સહાયથી સૂક્ષ્મ ભાગ અને રતિ પામે છે. - સ્થૂળ શરીરને કે સૂક્ષ્મ શરીરને અવલંબીને થતાં કામ, ભોગ અને પ્રીતિ સ્થળ કે સૂક્ષ્મ કહેવાય. અલખ-માર્ગીઓ કેવળ સ્થૂળ કામ, ભોગ કે પ્રીતિને સેવતા નથી, સૂક્ષ્મ કામ, ભોગ કે પ્રીતિનો અનાદર કરતા નથી. બે હદયો વચ્ચે માત્તર: src હેતુઃ સૂક્ષ્ય આકર્ષણ ઉત્પન્ન કરે ત્યારે આ સૂક્ષ્મ કામનો અનાદર ન કરતાં પુરુષ સ્ત્રીનું સંવનન કરવું અને બંનેએ પરસ્પર હદયનું પરિશીલન કરવું. આ સંવનન અને પરિશીલન નિર્વિન સમાપ્ત થાય તો આ સૂક્ષ્મ આત્મ-લગ્નને ગાંધર્વ–લગ્ન દ્વારા વ્યક્ત કરવું અને દામ્પત્ય-જીવનને સ્વીકાર કરો. પણ દામ્પત્યજીવન દ્વારા સૂક્ષ્મ
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy