SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુસ્વામી રાસ આજે જે પહેલા ગ્રંથને પરિચય અહીં આપવાને છે તે છે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “જબૂસ્વામી રાસ'. આ કૃતિનું સંપાદન ડો. રમણલાલ ચીમનલાલ શાહે કર્યું છે અને પ્રકાશક છે શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન, સાહિત્યોદ્ધા, ફડ, સુરત. કિમત રૂપિયા છે. પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓનું સંપાદનકાર્ય શાસ્ત્રીય પ્રવૃત્તિ રૂપનું છે. આપણે ત્યાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રાચીન ગુજરાતી ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી કૃતિઓના સંપાદનમાં ડે. ભોગીલાલ સાંડેસરાએ શાસ્ત્રીય ચીલે પાડી આપ્યો છે. આવા સંપાદનમાં ગ્રંથકર્તાના દેશ, કાલ અને જીવન તેમ જ અન્ય કૃતિઓ વિશે શક્ય તેટલી ઉપલભ્ય પ્રમાણસામગ્રી એકઠી કરીને શાસ્ત્રીય પદ્ધતિએ નિરૂપણ થવું જોઈએ. કૃતિની હસ્તપ્રતની શાસ્ત્રીય રીતે વિગતવાર માહિતી અપાવી જોઈએ. એ કૃતિ જે સાહિત્યપ્રકારમાં સમાવેશ પામતી હોય તે સાહિત્યપ્રકાર કે સ્વરૂપનું ઐતિહાસિક વિકાસરેખાઓ દોરીને નિરૂપણ થવું જોઈએ. આ બાબતમાં ક્યાંય પણ વિદ્વાનોમાં મતભેદ હોય તો તેનું પણ સમાકલન અને સમાધાન કરવાનો યથાવકાશ યત્ન થયો હે જોઈએ. કૃતિના પાઠભેદ નોંધાવા જોઈએ. આ ઉપરાંત વિવરણાત્મક કે વિવેચનાત્મક ટિપ્પણ પણ હેય અને શબ્દોની વ્યુત્પત્તિ અને અર્થચ્છાયા રજૂ કરતી શબ્દસૂચી કે કેશ પણ હોય. - ડો. રમણલાલ શાહે શાસ્ત્રીય પદ્ધતિ સ્વીકારીને જ આ કૃતિનું સંપાદન કર્યું છે. પ્રસ્તાવનાના આરંભમાં મહાપાધ્યાયશ્રીયશોવિજયજીનું '
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy