SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂસ્વામી રાસ ૫૩ જન્મસ્થળ ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઈલને અંતરે આવેલું કડું ગામ હતું એમ પ્રધાનપણે “સુજસવેલી ભાસ” નામની કૃતિને આધારે દર્શાવ્યું છે. તેને પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સભાગદે હતું. નાના જસવન્તકુમારને સરુ નવિજ્યજીના ઉપદેશથી વૈરાગ્યવૃત્તિ જાગી અને તેણે અણહિલપુર જઈને તે ગુરુ પાસે દીક્ષા લઈ યશવિજ્યજસવિય–નામ ધારણ કર્યું. કર્તાના જન્મ-સમયના પ્રશ્નમાં બે પરસ્પર વિરોધી પ્રમાણે ઉપલબ્ધ છે તેની ચર્ચા કરીને શ્રી યશોવિજયજીને જન્મ સંવત ૧૯૭૯-૮૦માં થયેલ હોવો જોઈએ એવું અનુમાન સંપાદકે કર્યું છે. જીવનનિરૂપણ કરતાં ડો. શાહે શ્રી યશોવિજ્યજીની અસાધારણ સ્મરણશક્તિ વિશે પ્રચલિત દંતકથાને ઉલ્લેખ કર્યો છે. શ્રી યશોવિજયજી વિદ્યાભ્યાસ માટે કાશીમાં ત્રણ વર્ષ રહ્યા હતા. ત્યાં તેમણે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિ દર્શનનો અભ્યાસ કર્યો હતો અને ન્યાયવિશારદ અને તાર્કિક શિરોમણિનાં બિરુદ પણ પામ્યા હતા. વિદ્યાભ્યાસ પૂરો કરીને તે અમદાવાદમાં આવ્યા અને મુસલમાન સૂબા મહોબતખાનની સમક્ષ અષ્ટાદશ અવધાનને પ્રયોગ કરી બતાવ્યું. શ્રી યશોવિજયજી અને આનંદઘનના સમાગમની અને અહોભાવવૃત્તિથી શ્રી યશોવિજયજીએ રચેલી અષ્ટપદીની ચર્ચા સંપાદકે કરી છે. શ્રી યશોવિજ્યજીનો સ્વર્ગવાસ ડભોઈમાં સં. ૧૭૪૩માં થયે હશે એમ સુજવેલી ભાસ'ને આધારે સૂચવ્યું છે. તે પછી શ્રી યશોવિજયજીની - સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ વિશે તેમ જ ગુજરાતી ભાષામાં રચેલાં સ્તવનો, સબુઝાયો, ગીત, પદ, રાસો, સંવાદો વગેરે વિષે માહિતી આપી છે. આ ખંડના અંતમાં સંપાદકે શ્રી યશોવિજયજીનાં પાંડિત્ય, તુલનાશક્તિ, સૂક્ષ્મ દષ્ટિ વગેરે વિશિષ્ટ ગુણોને બિરદાવતે પંડિત સુખલાલજીને અભિપ્રાય ટાંક્યો છે. કૃતિના વિષયભૂત શ્રી જબૂસ્વામી વિષે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચાયેલી કૃતિઓને
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy