________________
૧૫૦
અક્ષરો
ઘટના કરવા જતાં એમ પણ સંભવ રહે કે નાટકનાં પાત્રો નિર્જીવ અને નીરસ બને, જે કલાકાર કુશળ ન હોય તે પાત્ર તેના ધ્યેયને અનુસરીને જ બોલતાચાલતાં એટલે કે વ્યક્તિત્વ વિનાનાં dummiesખોખાં થઈ જાય અને તેઓનાં મુખમાંથી નાટકકારનો જ અભિપ્રાય નીકળતા રહે. દૃષ્ટાંત તરીકે, જેમ “મસ્યગન્ધા અને ગાંગેયમાં કર્તાએ એક ધ્યેય રાખી તેને અંતપર્યત જાળવવાની સંભાળ લીધી છે તેમ તેમણે “મહર્ષિણી માં પણ બેયની એકાગ્રતા જાળવી રાખી છે. પણ “લોમહર્ષિણીમાં મુખ્ય પાત્ર તો લાકડાના રમકડા જેવું જ લગભગ થઈ ગયું છે. અહીં તેમ નથી. યેયની એકાગ્રતા પુરેપુરી સચવાઈ છે, તેની સાથે ભીષ્મ, મયગન્ધા વગેરે પાત્રોનું વ્યક્તિત્વ જળવાઈ રહ્યું છે.
નાટકની શરૂઆતમાં અને અંતમાં કર્તાએ “પ્રાસ્તાવિક' અને ઉપસંહાર' મૂક્યા છે. બંનેમાં કેવળ બે પાત્રો- “સ્ત્રી અને પુરુષ ભાગ લે છે. આ પાત્રો નાટકની વસ્તુઘટનામાં ભાગ લેતાં નથી. આ તેમ જ આ પત્રોના ઉદ્ગારો જોતાં તે કંઈક અંશે ગ્રીક નાટકમાંના *Chorus' 247 2490 1125Hirl Chroniclers 'H Hodi હેય તેમ લાગે છે. નાટકની વસ્તુઘટના ઉપર, અને તેમાં આલેખાયેલાં પાત્રો ઉપર “સ્ત્રી અને પુરુષ” થોડા પણ સચોટ શબ્દોમાં પિતાના અને સૌ કોઈ વાંચનારના અભિપ્રાય દર્શાવે છે.
આ “સ્ત્રી ” અને “પુરુષ'નો નાટકની કથા સાથેનો સંબંધ બીજી રીતે પણ તપાસવા જેવો છે. “પ્રાસ્તાવિકમાં તેઓના સંવાદ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે બંને આ નાટકમાં વર્ણવેલ ભષ્મના આત્મત્યાગના વૃત્તાંતથી અને મત્સ્યગન્ધાના તપ કરવાના નિશ્ચયથી પરિ ચિત છે, પણ બંને પાત્રોના નાટકની વસ્તુના પરિચયમાં ફેર છે. મસ્યગંધાની પ્રેમકથાને કે અંત આવે છે તે પુરુષ' જાણે છે.
સ્ત્રી ને ના ટકને કેટલેક અંશ, “પરષને તે આખું નાટક પુનરુત