________________
• મત્સ્યગન્ધા અને ગાંગેયઃ
૧૪૯
વારી પિતાએ કહેલુ' કબૂલ રાખે છે. શે। આત્મત્યાગ ! શે! ભારતની સ્ત્રીઓને આદશ !
ઉપર જોયા પ્રમાણે આ નાટકમાં મુખ્ય પાત્રા અસાધારણ છે, સજોમા અસાધારણ છે આખી ઘટના અસાધારણ છે. આમ અસાધારણ સૃષ્ટિમાં વિચરવાથી આપણે તેમાં ગૂચવાઈ સામાન્ય વસ્તુસ્થિતિ ભૂલી ન જઈએ તે હેતુથી કર્તાએ મુખ્ય પાત્રોનાં પ્રતિપાત્રો (foils) મૂકવાં છે. આ પ્રતિપાત્રો દુનિયાના ચીલામાં ચાલ્યાં જાય છે. ાહિત અને મધુરી એકબીજાને જુએ છે, પ્રેમમાં પડે છે, અને છેવટે પરણે છે. આ પ્રાસંગિક વસ્તુમાં સ્વતઃ નથી કંઈ વિશિષ્ટતા કે નથી કંઈ તાત્પર્યાં. છતાં તે નિરર્થીક નથી જ. તેનું પ્રયેાજન મુખ્ય વસ્તુની મહત્તા, અસાધારણ. ભીષ્મતાનું આપણને ભાન કરાવવું એ છે. સામાન્ય વ્યવહારના રાજપથી મુખ્ય વસ્તુ કેટલી આડીઅવળી ચાલી તે માપવાનું તે યંત્ર (gauge) છે. તેથી આ પ્રાસંગિક વસ્તુ ધ્યેયની એકાગ્રતામાં વિક્ષેપ લાવવાને બદલે તે એકાગ્રતા સાધવામાં, તેને સચેાટ રીતે ખડાર લાવવામાં સહાય કરે છે. વળી મત્સ્યગન્ધા અને ગાંગેયની ઉદારતા અને અસાધારણતા આ પ્રાસગિક વસ્તુના ઉપસ'હારમાં દીપી નીકળે છે. પેાતાનાં વ્યિ સ્વપ્ને! ઊડી ગયાં, પણ તેથી તેમનાં હૃય નિષ્ઠુર નહોતાં બન્યાં. તેમ થાય તો પછી અસાધારણતા કાં રહી ? કામદેવને ઉદ્દેશીને આર ભેલા પેાતાના યજ્ઞ તા અધૂરા રહ્યો, છતાં બીજા યજમાનેાને સહાય કરી પેતે કૃતકૃત્ય થવા ઇચ્છતાં હોય તેમ ભીષ્મ અને મત્સ્યગન્ધા રહિત અને મધુરીનાં લગ્ન યેાજે છે. આમાં પણ ભીષ્મની તેમ જ મત્સ્યગન્ધાની ભીષ્મતા નથી ઝળહળતી શું ?
ધ્યેયની એકાગ્રતા એકાંકી નાટકાને આવશ્યક ગુણ છે. આ એકાગ્રતા સાચવવા જતાં નાટકકાર ખીન્ન દે!ષમાં આવી પડવાના ભયમાં રહે. પેાતાના ધ્યેયને સતત દૃષ્ટિમાં રાખી નાટકની વસ્તુ.