________________
અક્ષણ
૧૪૮ બને છે. એક બાજુ આ કપિત સંજોગોમાં આલેખવામાં આવ્યું છે તેમ ગાંગેય પિતાની હદયદેવીનું નામ કે કુળ પુછતા નથી અને અમાનુષ–અપૂર્વ-કર્મ કરી બતાવી હદય–દેવીની શરતો પાળી દેવાની હોંશમાં છે ત્યારે બીજી બાજુ ગાંગેય પોતાના પિતાની અભિલાષા પૂર્ણ કરવા માટે “ઢીમર' પાસે જઈ રાજ્યત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે, અને “ઢીમર” રાજી થઈ પોતાની કન્યા મિસ્યગંધા–ને શત્તનું સાથે પરણાવવા કબૂલ થાય છે! આમ અપૂર્વ આત્મત્યાગ કરી ગાંગેય અપૂર્વ કર્મ કરે છે. પણ-પણ! આ આત્મત્યાગ શું શુદ્ધ હતો ? તેમાં ઊણપ નહોતી ? આ આત્મત્યાગ વડે જ ગાંગેય આત્મબંધન સાધવાના વિચારમાં નહતા કે તેનું સુખ રાજ્યમાં કે અન્ય વૈભવમાં નહોતું. પેલી સુંદરીમાં જ તેની આખી સુખ સુષ્ટિ સમાઈ હતી. તે મળે, તો પછી?
છેલ્લા પ્રવેશમાં, પિતાની અભિલાષા પૂરી કરવા માટે અસાધારણ આત્મત્યાગ કરી ગાંગેય પિતાના હૃદયની અધિષ્ઠાત્રી દેવતા માથે કેાઈ અણમૂલી પળે દિવ્ય આનંદસાગરની લહરીઓમાં વિહરે છે અને પોતાના ભાવિ સ્વર્ગીય સુખને ક્ષિતિજમાં જુએ છે, તે જ પળે ઢીમર”—દુનિયાની વ્યાવહારિક સ્થિતિનું ભાન કરાવનારે “ઢીમર'આવી ચઢે છે. ગાંગેયની દિવ્યસૃષ્ટિ ઊડી જાય છે, તે કર્તવ્યમાં ચૂક્યા છે એવો આરોપ આવે છે! હવે જ ભીષ્મને ખરી પરિસ્થિતિનું ભાન થાય છે. ભીષ્મનું હૃદય એ તે સમરાંગણ જ. માતા કે પ્રિયા? વદન કે આલિંગન? પૂજ્યબુદ્ધિ કે પ્રણય? આ પરસ્પર વિરોધી લાગણીના યુદ્ધમાં અંતે ગાંગેયનું ગાંગેયત્વ વિજયી નીવડે છે. અને ભીમ કર્તવ્યપરાયણ બને છે. સાતિજ્ઞા 'હું મવતિ સાધવા આમ નાટકની વસ્તુ તીવ્ર બને છે, અને ભીષ્મનું ભમત્વ પ્રચંડ સ્વરૂપમાં વ્યક્ત થાય છે.
ભીષ્મની ભષ્મતા આડે મસ્યગધાને આત્મત્યાગ જોઈએ નેટલે બહાર નથી આવતો. તે તે સ્ત્રી હતી, છતાં પિતાના હૃદયને