________________
• “મસ્યગન્ધા અને ગાંગેયર
૧૪૫
એમ લાગવા સંભવ છે કે બેયની એકાગ્રતા નાટકમાં સચવાઈ નથી, કારણ કે એક બાજુ ભીષ્મ અને મત્સ્યગંધાનું પ્રણયબંધન થતું દેખાડવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ ભીષ્મ અને ધીવર વચ્ચે તેફન વિરોધી પ્રસંગ વર્ણવ્યો છે. આ પ્રસંગોના પરસ્પર વિરોધને લીધે બેયની એકાગ્રતામાં વિક્ષેપ આવે છે. વળી બેયની એકાગ્રતા એકાંકી નાટકમાં પહેલેથી છેલ્લે સુધી જળવાઈ રહેવી જોઈએ, તેથી એકાંકી નાટકમાં એકે ય ઘટના (incident) કે પરિસ્થિતિ (situation) તેમાં વિક્ષેપ કરે તેવી ન હોવી જોઈએ. પ્રસ્તુત નાટમાં તે કર્તાએ પ્રાસંગિક વસ્તુ પણ મૂકી છે ! મત્સ્યગંધા અને ભીષ્મના સંબંધનું આલેખન કરવાની સાથે કર્તાએ રોહિત અને મધુરીનો સંબંધ વર્ણવ્યું છે, એટલું જ નહિ પણ તે સંબંધને વધી વધીને છેવટે મંગલમય ઉપસંહાર પામતો દર્શાવ્યા છે. આમ કરવાથી એકાંકી નાટકની એકાગ્રતામાં વિક્ષેપ આવે છે, એમ કદાચ કોઈને જણાય પણ જરા ઊંડા ઊતરતાં જણાશે કે આ આક્ષેપોને અવકાશ નથી. ભીમ અને મત્સ્યગંધાન સંબંધ, ધીવર અને ભીષ્મનો સંબંધ–આ બેવડે સંબંધ ધ્યેયની એકાગ્રતાને બાધ કરવાને બદલે, ઊલટા એ એકાગ્રતાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. એય ભીષ્મની ભીષ્મતા દર્શાવવાનું છે. અને તે મહાભારતમાં વર્ણવેલા ભીષ્મ અને ધીવરના પ્રસંગમાં સારી રીતે દષ્ટિગોચર થાય છે. છતાં આ જ યેયને કર્તાએ બીજી બાજુ કપી-વિરોધી સંજોગે કશ્યા, અને તેથી ભીષ્મની ભીમતા બંને બાજુથી અજવાળું પડતાં વધારે દીપ્તિમય– ખરું કહીએ તો વધારે ભીષ્મ–બની. એટલે કલાની દષ્ટિએ તે કર્તાની કલ્પના સાથ અને સફળ જ નીવડી છે. બીજે આક્ષેપ પ્રાસંગિક વસ્તુને લક્ષીને કરવામાં આવ્યો છે. તેનો ઉત્તર આ જ લેખમાં આગળ ઉપર મળી આવશે. - કર્તાએ પોતે બે બોલ માં કહ્યું છે તેમ મત્સ્યગંધામાં પુરાણ પાત્રો છે તેથી સામાન્ય વાચકવર્ગને પાત્રો તેમ જ મુખ્ય વસ્તુ પણ
અ. ૧૦