SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મસ્યગંધા અને ગાંગેય” મસ્યગંધા અને ગાંગેય” રા. બટુભાઈ ઉમરવાડિયામૃત એકાંકી નાટક છે. “બે બેલમાં જણાવ્યું છે કે આનું – અને તેનાં બીજાં એકાંકી નાટકનું સ્વરૂપ તો અંગ્રેજી one act play ઉપરથી છે. અંગ્રેજી one act play ની સામાન્ય રૂપરેખા તપાસીશું તો જણાશે કે નાટક એકાંકી હોવાથી આવશ્યક રીતે જ તેની વસ્તુ brief–અ૮૫–હોવી જોઈએ. ત્રિઅંકી કે તેથી વધારે અંકવાળાં નાટકમાં જેમ કઈ પણ પ્રસંગને સવિસ્તર પ્રસ્તાવ કરી શકાય અથવા તે પાત્રોનું development તેને ગુણે કે અવગુણોનું ક્રમશઃ અને સુવ્યવસ્થિત રીતે આવિષ્કરણ કૃઈ શકે તેમ એકાંકી નાટકમાં સામાન્ય રીતે ન થઈ શકે. આમાં તે અમુક પ્રસંગે કે કોઈ પ્રસંગને અમુક ભાગ કે પાત્રનું એકદેશીય આલેખન – આવી આવી વસ્તુનું દર્શન કરાવાય. વળી એકાંકી નાટક નાનું હોવાથી પહેલેથી છેલ્લે સુધી વસ્તુ એકાગ્ર રહેવી જોઈએ. singleness of purpose-ધ્યેયની એકાગ્રતા એ એકાંકી નાટકને પ્રધાન ગુણ છે. અને આ એકાગ્રતાને લીધે જ નાટક નાનું હોવા છતાં અન્ય પ્રોઢ નાટક જેટલું જ રસવાળું છે. આ તની દષ્ટિથી તપાસતાં “મસ્યગંધા અને ગાંગેય'માં એકાંકી નાટક રચવાનો કર્તાને પ્રયાસ સર્વથા સફળ થયો છે એમ કહી શકાય. પ્રસ્તુત નાટકની વસ્તુ એક પ્રસિદ્ધ વ્યક્તિના જીવનમાં પ્રસંગ છે, તે વ્યક્તિનું સમગ્ર પાત્રાલેખન નથી. એકાંકી નાટકમાં, ઉપર કહ્યું તેમ, સાધારણ રીતે થઈ શકે પણ નહિ. ભીષ્મ ભીષ્મ શા માટે? અને કેવી રીતે બન્યા, અર્થાત ભીષ્મ અને મત્સ્યગંધાને સંબંધ–આ વિષય આ નાટકમાં ઉલ્લેખાયો છે. ઉપલકપણે જોતાં
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy