________________
૧૪૦
અક્ષર
માટે જ થયું છે. એ જ અંકનું ચોથું દશ્ય રૂપકવતા (Dramatic Irony) વાળું છે અને “પ્રવેશકની ગરજ સારે છે. છતાં વસ્તુ– વિકાસ માટે સર્વથા અપરિહાર્ય નથી. પાંચમા અંકના પહેલા દશ્યમાં આર્યક-ચારુદત્તને મેળાપ સુંદરમે કરવા ધારેલી પ્રવાહ દ્વય-સંગતિ માટે ઉમેરેલો છે. અને છઠ્ઠા અંકમાં બેત્રણ ઉક્તિ-ગુચ્છો ઉમેરાયા છે. તેમાં કાલ-યાપન સૂચવવાનો આશય છે. શિકારની ત્યાં ત્યાં ઉમેરાયેલી ઉક્તિઓ કે ગીતો તેના પાત્રની રેખાઓને અનુકુળ રાખવામાં આવી છે.
સુંદરમે પાત્રોના અધિકાર પ્રમાણે ચિત્યપુરસર ભાષાને કે બેલીને પ્રયોગ કર્યો છે, જુગારીઓના દશ્યના સંવાદ યથાતથ ઊતર્યા છે. ભાષાને મરેડ શુદ્ધ છે. મૈત્રેયની ભાષામાં જરૂર પડશે વ્યક્ત થતો વેગ અને શર્વિલક કે કરકની ઉક્તિઓની વિવિધ છટા સુંદરમની દૃષ્ટિની યથાર્થતા સિદ્ધ કરે છે. ,
આમ આ સજનના ગુણ-દોષનો આંક કાઢી શકીએ. દેષ માટેની જવાબદારી સર્વથા સયાજકની નથી. તેણે જવાબદારીપૂર્વક. પિતાના કાર્યની મર્યાદાઓ લક્ષમાં રાખીને અભિનયનોગ્યતાની દૃષ્ટિએ આ સંયોજન કર્યું છે. એટલું ધ્યાનમાં રાખીએ તે સંયોજકની શક્તિ અને સંયોજન બંનેને ન્યાય કરી શકીએ.