________________
રસિકલાલ પરીખનું “શર્વિલક'
મુંબઈ, ૧૯-૬-૫૮ સ્નેહી ભાઈ શ્રી રસિકભાઈ
શ્રી હીરાબહેને “ શર્વિલક”ની તમે મોકલાવેલી પ્રત મને એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ આપી હતી. તેની પહોંચ તત્કાલ ન લખી શકે તે માટે ક્ષમા ચાહું છું. “શર્વિલક” ગઈ કાલે જ વાંચ્યું. તે ઉપરથી ફુરેલા વિચારો અહીં સંક્ષેપમાં રજુ કરું છું.
શર્વિલક' “મૃછકટિક'નું સાચા અર્થમાં સંસ્કરણ છે. શકની એ મહામૂલી કૃતિનું સાહિત્યરસિકે ને-નાટયરસિકેને–અજબ આકર્ષણ છે. છતાં રાજપરિવર્ત–પ્રસંગનો પ્રધાન વસ્તુ (ચારુદત્તવસંતસેનાના પ્રણયપ્રસંગ) સાથેનો સંબંધ પ્રાચીન અને અર્વાચીન કાળમાં ઘણું વિવેચને શિથિલ લાગ્યો છે. આવા કોઈ અસંતોષમાંથી દરિદ્ર ચારુદત્ત ” જગ્યું એમ માનનારાઓ માને હું પણ એક છું. ( આ પ્રશ્નની છણાવટ ખૂબ થઈ છે તે તમે જાણે છે પણ મને જે એક મુદ્દો નિર્ણાયક જેવું લાગે છે તે વિશે લેખ કદાચ તમારા વિાંચવામાં નહિ આવ્યો હોય, એમ માનીને આ સાથે એ લેખની
એક નકલ મેકલું છું.) રાજપરિવર્ત પ્રસંગને ગાળી નાખીને કેવળ શગારપ્રધાન નાટયકૃતિ રજૂ કરવાનું કાર્ય બહુ કપરું નહોતું. “દરિદ્ર ચારદત્ત'ના રચનારે આ માર્ગ સ્વીકાર્યો છે. એ સરલીકરણ (Simplificatian)માં શદ્રકની કૃતિની ચમક ઘણે અંશે ઝાંખી પડી ગઈ. તમે વધારે સાચે માગ સ્વીકાર્યો. કકને પુરી સહાયતાથી સમજીને અને સૂક્ષ્મ દૃષ્ટિથી એના મર્મને પામીને એનું જ વસ્તુ સુઓળરૂપે રજૂ કર્યું. પરિણામ કેવું સુંદર આવ્યું છે ! – “મૃચ્છ