________________
સુંદરમનું મૃચ્છકટિક
૧૩૯ શકાર, વિટ અને ચેટ પડયા છે. આ દશ્ય સંચલનપ્રધાન (Dynamic) છે એટલે વસંતસેના, શિકાર વગેરે પાત્રો દડતાં જાય અને ઉક્તિઓ બોલતાં જાય એવી કઢંગી સ્થિતિ થાય. ઊલટું, પાત્રો સ્થિર ઊભાં રહે અને ઉક્તિઓ બોલે તો દશ્યની ચોટ મારી જાય. આ સજન ભજવાઈ ગયું છે, તેમાં આ દશ્યની અભિનયન-વ્યવસ્થા શી રીતે કરાઈ હતી તે હું જાણતો નથી પણ મને લાગે છે કે સુંદરમે અહીં કરેલી વ્યવસ્થાને બદલે પાત્રોનાં પ્રવેશ અને નિષ્ક્રમણની વ્યવસ્થા આ પ્રમાણે કરાય તો પરિસ્થિતિનું સાંગોપાંગ પ્રતિબિંબ ઝીલી શકાય. પહેલાં વસંતસેના દોડતી ગભરાતી પ્રવેશે અને તરત તેની પાછળ શકાર, વિટ અને ચેટ પ્રવેશે. તેઓ હાંફળા ફાંફળા આમતેમ દોડે અને છેવટે થાક ઉતારવા ઊભા હોય તે રીતે ઘણીખરી ઉક્તિઓ બોલી નાખે. પછી તરત વસંતસેનાને પકડી પાડવા રંગ-પાર્ધમાં જાય. એ જ ક્ષણે વસંતસેના પહેલાંની પેઠે જ પ્રવેશે અને વિકળ દશામાં પિતાના સાથીઓને હાક મારે ત્યાં શિકાર, વિટ અને ચેટ આવી ચડે. આમ યોજના થાય તો દશ્યની સ્વાભાવિકતા અને તાદશતા જળવાઈ રહે. - મૃછકટિકમાં ચારૂદત્ત-વસંતસેનાના પ્રેમ-પ્રસંગના પ્રધાન વસ્તુ સાથે રાજ્યક્રાંતિના અંશનો સંબંધ અતિશય શિથિલ લાગે છે. ભાસને નામે ચડેલા “દરિદ્ર–ચારુદત્ત'માંથી આ રાજ્યક્રાંતિને અંશ સદંતર કાઢી નખાય છે. અને એ રીતે વસ્તુની એકાગ્રતા સાધવાનો પ્રયત્ન થયો છે. એથી ઊલટું, સુંદરમે રાજ્યક્રાંતિના સુબ્ધ વાતાવરણમાં પ્રેમપ્રસંગને ગૂંથી લેવાનું ઉચિત ધાયું છે. આયકનો પ્રતિપક્ષી રાજા પાલક તેમ આર્યકના મિત્ર ચારુદત્તને પ્રતિપક્ષી રાજ્યશ્યાલ સકાર–આ સંબંધના સૂત્ર વડે મૂળ વસ્તુની બે છૂટી જેવી સેરેને સંકલિત કરી છે. અને તેથી કેટલાક ઉમેરો કરવા પડ્યા છે. આવો ઉમેરે પહેલા અંકના ત્રીજા દશ્યમાં થયો છે. ત્રીજા અંકના ત્રીજા દશ્યમાં કરેલો ઉમેરો પાત્રની સ્થાન–વિનિયોજના