SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ અક્ષા પણ લેાકેા કાઢી નાખવાથી આ સયાજનને હાનિ થઈ છે તે શકારના પાત્રનિરૂપણમાં અને તેના હાસ્યની તાદૃશતામાં શકારની શ્લેકબદ્ધ ઉક્તિએમાં ‘શકારત્વ' દૂધમાં ઘીની પેઠે વસેલું છે. દુધ જેટલુ કાઢી નાખીએ તેટલું ઘી પણ જવાનું. આ ઉક્તિઓમાં લહરાતી શકારની દાંગાઈ, મૂખતા, ખડખડ હસાવે તેવું પુરાણુ-મહાભારતનુ' અજ્ઞાન, અહુ ભાવ, ભીરુતા વગેરે શકારના પાત્રને ઉપસાવવા માટે અપરિહાર્યું છે. આ શ્લેાકેા કાઢી નાખવાથી થયેલી હાનિ સયેાજનમાં શકારના પાત્રને મૂળ કરતાં ઝાંખુ બનાવે છે, પણ કદાચ આ શ્લોકા રાખ્યા હાત તે પણ જે હાનિ અનુવાદમાં અનિવાર્ય બનત તે તેના હાસ્યરસમાં. મૃચ્છકટિકમાં હાસ્યરસ પ્રસંગનિષ્ઠ છે, પાપનિષ્ઠ છે, ઉક્તિનિક છે. સૂક્ષ્મ મા િક વચનથી માંડી કટાક્ષ, ઉપહાસ, પરિહાસ અને છેક સ્થૂલ ફારસ સુધીની કક્ષાએમાં વિલસે છે. હાસ્યરસના આલ’બન તરીકે શકારનું પાત્ર પ્રધાન છે, તેના વર્તનથી અને વાણીથી હાસ્યની છેાળા ઊડે છે. તેને સતત સૂસવતા શકાર, શ્લેાકેામાં આવતા અનુપ્રાસ, કઢંગા પૌરાણિક ઉલ્લેખા, વિચિત્ર વિપર્યાસા, સૉંસ્કૃતમાં જ શકય એવા શ્લેષના પ્રયાગે-આ બધુ... અનુવાદકે અનિચ્છાએ જતું કરવું પડે. (ગતા માવાડમવમૂના વિધાભાસને સાચવીને ગુજરાતીમાં શી રીતે ઉતારી શકાય ?) સુંદરમના અનુવાદને પણ એવું જ થયું છે, છતાં સુંદરમે જ્યાં જ્યાં શકય છે ત્યાં ત્યાં શ્લેષનિષ્ઠ અને વસ્તુનિષ્ઠ હાસ્યરસને સાંગેાપાંગ ઉતારવાની ચીવટ રાખી છે એમ પણ સ્વીકારવું જોઈએ. જુગારીઓનું દૃશ્ય મૂળના હાસ્યરસને લગભગ તેવી જ કૈાટિએ સાચવી શકયુ* છે. મૂળ નાટકમાં `કાનાં દૃસ્યા ( scenes )ના વિભાગ પાડયા નથી છતાં પાડી શકાય તેમ છે એ તે! સહેજે જોઈ શકાય છે. સુંદરમે અર્વાચીન પદ્ધતિએ અ ાને દૃશ્યમાં વહેચી નાખ્યા છે તેમાં પ્રધાન દષ્ટિ અભિનયન–યેાગ્યતાની જ રાખી છે. આ દૃષ્ટિએ પહેલા અંકનું ખીજુ` દશ્ય વિચારવા જેવુ છે, વસ તસેનાની પાછળ
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy