________________
સુંદરમનું મૃચ્છકટિક
શુદ્રકના આ વિશ્વવિખ્યાત પ્રકરણને શ્રી સુંદરમે ગુજરાતીમાં અવતાયું છે. આ કેવળ અનુવાદ નથી. પણ રંગભૂમિ ઉપર રજૂ કરવાના ઉદ્દેશથી અભિનયોગ્યતાની દષ્ટિએ યોજાયેલું હોવાથી કાપકૂપ સાંધાસૂધી કરીને તૈયાર કરેલું સંકરણ છે. ચાર-પાંચ નાટયકલારસિકેની સૂચનાઓ ઝીલી તૈયાર થયેલું હોવાથી આ સજનની કલામંડિતતા વિશે નિઃશંકતા સેવી શકાય. તે ઉપરાંત તેના એકબે સફળ પ્રયોગ પણ થઈ ચૂક્યા છે એ પણ તેની રંગયોગ્યતા માટે સિદ્ધ પ્રમાણુ ગણાય.
* મૃચ્છકટિકની વિશિષ્ટતા, સુંદરમે કહ્યું છે તેમ, વસ્તુતત્વને લીધે તે છે જ, પણ તે ઉપરાંત તેની પાત્રસૃષ્ટિમાં પ્રતિબિંબિત થતી માનવતાને લીધે પણ છે. દસ અંકમાં આછાઘેરા પિતમાં પથરાયેલું આ નાટક દુ:ખમાં પણ અગાધ માનવતા અને ઉદારતા, દરિદ્રતામાં પણ ગુણસમૃદ્ધિ પર જ વારી જતા સ્ત્રીહદયની ઉદારતા, સુખ કે દુઃખે સમભાવ જાળવતો મિત્રસ્નેહ, પતિના પડછાયા પેઠે જીવતી પત્નીની દામ્પત્ય ભાવના, ન્હાને બાળકની મુગ્ધ નિર્દોષતા અને પિતૃવાત્સલ્ય, ઉપકારને બદલે વાળી દેવાને ઉત્સુકતા સેવતું, સામાન્ય માણસમાં પ્રતીત થતું માનવ-માનસ, તે ઉપરાંત મૂખ, ડાળી અને ભીરુ જીવના હાથમાં અધિકાર આવતાં ઉત્પન્ન થતો કલેશે–આવા અનેકવિધ ભાવે રજૂ કરતું નેહાના વિશ્વ જેવું છે. શિંગાર અને કરુણના ઘેરા સાગરમાં હાસ્યની માત્ર લહરીઓ નહિ પણ છળો ઊઠીને ઈન્દ્રધનુની આકર્ષકતા ધારી રહે છે. શ કનાં ગૌણ પાત્ર જેટલાં સંખ્યાબંધ છે. તેટલાં જ વ્યક્તિત્વવાળાં છે. શુદ્રકને શકાર તે જગતના નાટય-સાહિત્યનાં મહાન પાત્રોમાંનું એક છે. તેની