SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩. વાલ્મયવિમર્શ વિભાગો-દશ્ય અને શ્રાવ્યનો ઉલ્લેખ કર્યો છે. આ વિભાજન સંતોષકારક નથી એ તો દેખીતું છે. પણ નાટક પહેલાં “દશ્ય” અને પછી શ્રાવ્યત્વને કારણે તેનાં બીજા બધાં અંગોપાંગે ફલિત થાય છે એ વિધાન ચિંત્ય છે. પ્રાચીનએ કાવ્યના શબ્દાર્થના દશ્ય અને શ્રાવ્ય એવા વિભાગ પાડ્યા છે તે જ બતાવે છે કે નાટકનો દેહ શબ્દાર્થને–વાણુને-બનેલો છે. પણ નાટકમાં વાણું તત્વ પ્રકાર અને વ્યવસ્થા દશ્યત્વના નિયંત્રણે સંયત બને છે. સર્જકને અમુક વસ્તુનું સંવેદન થયું તેને કેવું કાવ્ય સ્વરૂપ આપવું એ વિચાર્યા પછી જ એ વસ્તુનું સંવિધાન કલ્પે છે અને વાણી યોજે છે. દશ્ય રૂપ આપવું હોય તે પાત્રો દ્વારા અને પાત્રોના વાલ્ગવ્યવહાર દ્વારા જ એણે સમગ્ર વસ્તુનું નિર્વહણ કરવાનું રહે છે. વાણીને સંવાદનું સ્વરૂપ અને વિશિષ્ટતા દશ્યત્વ ગુણને લીધે મળે છે. શ્રી રામભાઈએ (પૃ. ૪ર૦–૨૧) ઉપર સજનપ્રક્રિયાનો જે ક્રમ આપો છે તે જગ્યા છે. પણ આ લેખમાં એ ક્રમને ઉલટાવ્યો છે જેને પરિણામે આ વાલ્મયપ્રકારને પ્રયોગરૂપે દશ્ય કરવાની જે ગ્યતા છે તે એની પાત્રાશ્રિત વાણીરચનાનું પરિણામ છે.” એવું વિપરીત વિધાન (પૃ. ૩૫૭) કરાયું છે. શીર્ષકમાં પ્રયોજાયેલો પણ શબ્દ આશ્વાસનરૂપ છે.” - અહીં રજૂ કરેલા કેટલાક મુદ્દાઓ ઉપરથી સમજી શકાશે કે આ લેખસંગ્રહની સામગ્રી કેટલી સમૃદ્ધ, વિપુલ અને વિચારપ્રેરક છે. આપણા પ્રાચીન સાહિત્યશાસ્ત્રમાં જુદા જુદા વિષયોની જે સૂક્ષ્મ મીમાંસા થઈ છે તે અતિ વિપુલ છે અને આજે તેનું પાશ્ચાત્ય સિદ્ધાંતની મીમાંસા સાથે તુલનાત્મક નિરૂપણ કરતાં ઘણી મૂલ્યવાન સામગ્રી પરખાય છે. શ્રી રામભાઈએ નવીન પાશ્ચાત્ય મુદ્દાઓ અને સિદ્ધાંતનું પણ કેટલેક સ્થળે નિરૂપણ કર્યું છે. પ્રાચીન ભારતીય સિદ્ધાંતની સાથે તેની સંગતિ-અસંગતિની ચર્ચા પણ કરી છે.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy