________________
વાલ્મયવિમશ?
૧૩૧ કાન્તાત્વ–પ્રયુક્ત ઉદેશ તે અમેઘ નવડે. અશક્તિની કલ્પનાને અહીં અવકાશ નથી.
પતે જોયેલા સત્યને એ (કવિ) સુંદર રૂપે, સૌંદર્યને રૂપે રજૂ કરે છે... કવિ યથાર્થતારૂપ સત્યને સુંદર સ્વરૂપે રજૂ કરે છે. સત્ય અને સુંદરના-સત્યના અને તદન્તર્વતી આંતર સૌંદર્યનાસહચારમાંથી “ શિવમ” સ્વયમેવ પ્રગટ થાય છે.” (પૃ. ૬૭) કવિ રજૂ કરે છે તે સત્ય અને સત્યનું અંતર સૌદર્ય ભિન્ન છે કે અભિન્ન ? અભિન્ન હોય તે એ બંનેના સહચારમાંથી “શિવમ ” સ્વયમેવ પ્રગટ થતું હોવાથી દરેક કાવ્યમાં “શિવમ્ ની નિષ્પત્તિ થવાની. પણ આ વસ્તુરિથતિ નથી. શ્રી રામભાઈએ જ આ ગૂંચને ઉત્તર (પૃ. ૨૯૨) ઉપર આપે છે. “આ સૌદર્યસર્જન વિષયની માત્ર બાહ્ય આકૃતિનું સૌંદર્ય હેય એ પર્યાપ્ત નથી. કલાકૃતિના–સર્જાઈ રહેલા માનવચારિત્ર્યના–આંતર સૌદર્યની પણ અપેક્ષા કલાકારને રહે છે. ઉદાહરણ આપતાં કહે છે કે “સાહિત્યકૃતિમાં સદાચારી નાયકને પ્રતિયેગી દુરાચારી શઠ પણ હોય છે. એ શઠની શઠતા રજૂ કરવી એ સર્જકને સત્યધર્મ છે. કેવળ પ્રાચીન વસ્તુસ્થિતિને વળગી ન રહીએ અને કલાતત્ત્વના નિરૂપણ તરીકે આ વિધાન વિચારીએ તે અનેક પ્રશ્નો ઊભા થાય છે. નાયક-નાયિકા સદાચારી જ હોય ? પ્રતિનાયકમાં નાયક-નાયિકા જેવું કશુંક આંતર સૌદર્ય જેવું ન હોય? વગેરે. વસ્તુતઃ શબ્દ અને અર્થના સાહિત્યથી નિષ્પન્ન થતા કાવ્યમાં જ્યાં મૂલ્યોનો અનુપ્રવેશ (Value Judgement ) થતો હોય ત્યાં શિવમ્ 'ના તત્ત્વનો પ્રશ્ન ઊઠશે. અન્યત્ર અને આવાં કાવ્યોમાં પણ માત્ર કાવ્યાનંદની મંગળ અનુભૂતિ થશે.
- (૫) કવિને કાવ્યને વિષય માનવજીવનમાંથી સાંપડે છે. શું સારું, શું નરસું એનું દર્શન કવિ પણ કરે છે. સારા સારા તરીકે અને નરસાને નરસા તરીકે એ આલેખે છે અને એવું દર્શન