________________
૧૩૦
અક્ષ
દ્વારા થતું ઉપદેશસૂચન એ કાન્તાની ઉક્તિ છે તેમ એક પ્રકારે એ એની અશક્તિનું પણ ઘાતક છે. ગુરુજન પ્રમાણે આદેશ આપવાનું સામર્થ્ય સામાન્ય રીતે કાન્તા કે પત્ની બતાવી શકતી નથી...” (પૃ. ૬૫) આ મુદ્દાની ચર્ચા કર્યા પછી તરત જ શ્રી રામભાઈ ઉમેરે
છેઃ “કાવ્યની વાણીમાં, શાસ્ત્રાદિકની વાણીને મુકાબલે આવું અસામર્થ્ય રહ્યું છે એમ નહિ કહી શકાય. કાન્તા પિતાનો આદેશ આપવાની અશક્તિને રસાનંદ અનુભવવાની શક્તિ દ્વારા પ્રબળતર શક્તિમાં પલટી નાખે છે એવું કાવ્ય કરવું પડતું નથી. એટલે અશક્તિનો ઉલ્લેખ અસંભાવ્ય અને અનભિપ્રેત જ છે એમ માનવું જોઈએ. વસ્તુતઃ આદેશ, સચન, સરસતાપાદનના નિરૂપણમાં કાન્તાપક્ષે અશક્તિની કલ્પના કરવાની કશી જરૂર નથી. હકીકતમાં તે જે કઈને અમાર્ગ કે ઉન્માર્ગે જતાં રોકવો હોય તે કાં તે ગુરુજનની પેઠે આજ્ઞા કે હુકમ કરી શકાય. પણ એ આજ્ઞા તેને કેટલે અંશે સ્પર્શી શકે ? કદાચ એ ન પાળવા પણ છે અને પાળે તો પણ ભયથી કે શરમથી કે વિનયવૃત્તિથી પાળે છે. આજ્ઞા કે હુકમ કરતાં વધારે સામર્થ્યવાળું તે મિત્રનું સૂચન કે મિત્રે કરેલી સમજાવટ નીવડે. મૈત્રીને-ભાવને• આશ્રય લઈને મિત્ર તેના હૃદયને સ્પર્શી શકે અને બુદ્ધિ દ્વારા પરિસ્થિતિનું સારાનરસાપણું બતાવીને મિત્રને માર્ગ છે તે સમજાવી શકે. પેલાને વિચાર-તર્ક વગેરે સમજાતાં હોય, છતાં મિત્ર હદયના મૈત્રીભાવને સ્વીકારવા છતાં તે તે ઉપદેશને-સૂચનને સ્વીકાર ન પણ કરે. આજ્ઞા કરતાં સહૃદયવચન વચન ભાવસંસ્કૃષ્ટ હોવાને કારણે વધારે સામર્થ્યવાળું છે. પણ સૌથી વધારે સામર્થ્ય તે છે કાન્તા–પ્રેયસી-એ રસાનંદમાં પ્રિયને મન કરીને આપી દીધેલ ઉપદેશ. પ્રેયસીએ કરેલા હદયાવર્જનમાં પરવશ થયેલું હદય ગમે તે વાત સ્વીકારવા તૈયાર થાય. સ્ત્રી પણ આજ્ઞા આપી શકે કે મિત્રની પેઠે સમજાવી શકે; પણ એ આજ્ઞા કે મિત્રવચનમાં યોગક્ષેમ તે બીજાએ આપેલી આજ્ઞા કે સમજાવટ જેવાં જ હોય છે. પણ