________________
“વાલ્મયવિમશ”
૧૨૯ તે એ ઉદાહરણો પુરતો સ્વીકાર્ય હોય તો પણ અતિશયોક્તિ અલંકાર (નિઝરણ) જ ધ્વનિકાવ્યના મૂળમાં છે એ ભ્રમ ઉત્પન્ન કરે એવો સંભવ છે. સૂર્ય આથમ્યો” એ સાદા વાક્યમાંથી કેવી વિવિધ અર્થ વ્યગ્રતાઓ ઊઠે છે એ તે અલંકારશાસ્ત્રીઓએ બતાવ્યું જ છે. સૂર્ય આથમ્યો’ એ વાક્યમાં કશાનું અસાજન, સંયોજન કે નિગરણ નથી એ સ્પષ્ટ છે. ધ્વનિકાવ્યમાં વાચ્યાર્થનું ગૌણત્વ હોય એ આવશ્યક છે.
ધ્વનિકાવ્ય'માં તે વાચ્યાર્થ ગૌણ અને અપ્રસ્તુત બની જાય છે.” (પૃ. ૧૨) આ વિધાનમાં અપ્રસ્તુતને અંશ ચિંત્ય છે. નાનાલાલનું “ફૂલડાં કટારી ” કાવ્ય ધ્વનિકાવ્ય ગણાય કે “જગમાલણી ” માં શ્રેતરૂપક (પૃ. ૧૦) હોવાથી અને અન્ય અંશોમાં અર્થરૂપકતત્વ હોવાથી એકદેશ વિવતિરંપક ગણાય એ પણ વિચારવા જેવું છે.
1. આધુનિક કાવ્ય
(૨) “આધુનિક કાવ્ય અને રસસિદ્ધાંત” નામના લેખમાં રસસિદ્ધાંતનું વિશદ વિવરણ કર્યું છે, અને આધુનિક કાવ્ય પરત્વે એ સિદ્ધાંતની પ્રવૃત્તિનું વિવેચન કર્યું છે. જેમાં ભાવરૂપ વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય ન હોય એવા ભાવના સંસ્પર્શવાળું હોવા છતાં વિચારપ્રધાન - કે અન્ય તત્વપ્રધાન આધુનિક કાવ્યને પ્રાચીને તે ઉત્તમ કાવ્ય તરીકે ન સ્વીકારે એ સ્પષ્ટ છે. શ્રી રામભાઈએ સમગ્ર લેખનું સમાપન કરતી કંડિકામાં પ્રાચીનના આ મતનો ઉલ્લેખ કર્યો છે પણ પોતાનું મંતવ્ય પ્રાચીનાનુગામી છે કે તેથી ભિન્ન છે એ સ્પષ્ટપણે કહ્યું નથી.
કાવ્યનું પ્રયોજન (૩) “કાવ્યનું પ્રયોજન માં મમ્મટની પ્રસિદ્ધ કારિકામાં કરાયેલાં વિધાનનું વિમર્શન છે. તેમ જાત્તા સંમિત તોવાયુનું વિવરણ પ્રહત મા કર્યા પછી શ્રી રામભાઈ કહે છે: “આવું રસતર્પણ - અ. ૯