________________
૧૨૬
અક્ષરા
પ્રકરણ તેા રીપોર્ટ જેવું બની ગયુ છે. રામાયણની કથાનું જે અદશ્તન કર્યુ છે તેવી વિરૂપ અને ઔચિત્ય વિનાની કલ્પનાને માહ આપણા લેખકે જતા કરે તે કેવું સારું ?
નાટક
નાટક વિભાગમાં આ વરસે મળેલાં પ્રકાશનેાની સખ્યાને ઉલ્લેખ કરતાં પણ સકાચ થાય છે. આખા વરસમાં ગુજરાતી સાહિત્યમાં ત્રણ જ નાટક! અને તેમાંયે તે એક માત્રઃ નાટક ! અને તે પણ મૂળ સંસ્કૃત ઉપરથી અનુવાદિત–સયેાજિત !! ગુજરાતમાં નાટચલેખનની આવી અશક્તિ છે? સર્જક પાસે નાટચકળાને સાધી શકે તેવી ગુણસમૃદ્ધિ નથી ? કલ્પના નથી ? પાંત્રવિકાસ સાધવાની કળાની અણુઆવડત છે? માર્મિ ક છટાદાર સવાદની કળા નથી ? ગુજરાતમાં નાટયલેખનનાં ખીજ આજ દસ દાયકા થવા આવ્યા છતાં જોઈએ તેટલાં પાંગરતાં નથી, મ્હારતાં નથી ? નાટયપ્રકારમાં આ શરમાવે તેવું દારિદ્રય ગુજરાતના સાહિત્ય-સર્જકને આાનરૂપ છે. એ દારિદ્રય ફેડવુ' એ તેમનું ધ્યેય થવુ જોઈએ. પણ આટલું નિઃસ*શય કહી શકાય ! કેવળ ઊર્મિના તર`ગેાને લહરાવવામાં રાચતી કે કેવળ સૂક્ષ્મ મનેાવિશ્લેષણની પીજણમાં સ્વકત બ્યની પરિસમાપ્તિ માનતી કે જીવનના વિવિધ અને ઊંડા દર્શનને બદલે શુષ્ક કલ્પનાવિલાસે ખેલતી પ્રતિભા નાટક સરજવાને અસમર્થ છે. નાટક જુદી જુદી કળાઓનાં ગૂથણથી રચાતા સાહિત્યપ્રકાર છે. નાટચસર્જન કાઈપણ વ્યક્તિ કે પ્રજાની પ્રતિભાના માનદંડ તરીકે લેખી શકાય.