________________
ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય
૧૨૩.
જોતાં આ ૧પર પાનાની વાર્તા સ્ત્રીની આઝાદી માટે “બેઠો બળવો” જગાવવા માટે લખાયેલી પ્રચાર-પત્રિકા છે. આટલું કહીએ એટલે આ વાર્તાના ગુણદોષને ખ્યાલ પણ આવી જાય છે. સમાજના બંધારણમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધાથી કચડાયેલી અને દંભ, લોભ અને વાસનાથી છલોછલ ભરેલા પુરુષના પાશમાં સપડાયેલી સ્ત્રીના. ઉત્થાનની હાકલ આ વાર્તા નાખે છે. લેખક સમાજ, ધર્મ અને
પ્રતિષ્ઠિત ગણાતા પુરુષે ઉપર પુણ્યપ્રકોપનો લાવા વહેતે મૂકે છે. 'તીણા વેધક કટાક્ષ કે ઉપહાસ દ્વારા સ્ત્રીઓને થતા અન્યાયને ઉઘાડે. પાડે છે. ચૌદ-પંદર વર્ષની નિર્મળાનાં પ્રભાવવાળાં ભાષણોમાં શ્રી
જયભિખુ ને અવાજ વર્તાય છે. શ્રી “જયભિખુની વાર્તાકલાના દર્શન માટે વાચકે તેની અન્ય કૃતિઓ તરફ વળવું પડશે.
રાજલક્રમી-કેવળ ઉચ્ચ આદર્શો માટે ઉત્કટ અભિનિવેશ વાર્તાલેખન માટે પર્યાપ્ત નથી એ સત્યનું નિદર્શન પ્રહલાદજી બ્રહ્મ ભટ્ટની આ નવલકથા છે. વાર્તામાં લાગણીવેડાના ઊભર છે. પાત્ર-- સર્જન કૃત્રિમતાભય અને તદ્દન છીછરું છે-“પાત્રોને જે રીતે ન્યાય અપાયો છે તેથી મને સંતોષ થયો છે” એમ લેખકની પ્રતીતિ હેવા છતાં ભાભી અને દિયરના પરસ્પર સ્નેહનું દર્શન પોલું અને અપ્રતીતિકર છે, એ સંબંધની ગાઢતા દર્શાવવા માટે આવશ્યક કલ્પનાસામર્થ્ય કે નિરૂપણશક્તિ લેખક દાખવી શક્યા નથી. દિનેશના પાત્રની ગ્રંથિ તો લેખક પણ કળી શકયા લાગતા નથી ! ઉમરલાયક, થયેલો, રંભા સાથે પ્રેમચેષ્ટામાં પડેલે, છતાં નિરુઘોગી રહેતા દિનેશ (મનમોહન સાથેના પ્રસંગને બાદ કરતાં) ક્ષણભર પણ વાચકોને સમભાવ મેળવી શકતો નથી. તે રાજલક્ષ્મીને પરણે છે તે માટે તેણે લેખકનો જ આભાર માનવાનો છે ! સુરેખામાં સ્ત્રીહદયનાં કોમળતા. અને માધુર્ય છે, પણ તે જેટલી ઉદાર છે તેટલી વ્યવહારદક્ષ નથી. રાજલક્ષ્મીનું માત્ર તે કથાના બે તૃતીયાંશ ભાગ પછી પ્રવેશે છે,