SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાળીસનુ' ગ્રંથસ્થ વાઙમય ૧૨૧ ભારરૂપ માનતા ચંદ્રવદન આમ વિભાને સમાનશીંજ વ્યસન થતાં બંનેના પરસ્પર પ્રેમના પરિપાક છાના લગ્નનું રૂપ લે છે. ઘેરથી નાસી ગયેલી વિભાની શેાધ કરાવી પેાતાની પ્રતિષ્ઠા ખાતર પિતા તેને ઘેર લાવીને એક વાર પરણી ચૂકેલી પેાતાની એ પુત્રીને ખીજા પ્રતિષ્ઠિત વર સાથે પરણાવી દેવા માટે ષડ્યંત્રો રચે છે. એ બધાં . વીતકેામાં વિભાની અચલ વિશુદ્ધ સ્નેહની જ્યાત ચંદ્રવદનને માદક થાય છે-પણ અંતે અસત્યને જય થતાં હામ હારી ગયેલા ચંદ્રવદન તાપથી પીડાઈ ડુમસમાં મૃત્યુ પામે છે. વિભા પ્રયતમની ચિતાની ભસ્મ લલાટે લગાવીને સ્નેહલગ્ન'ની વિધવા બને છે. 6 શ્રી ચુનીલાલ શાહ પ્રતિષ્ઠિત નવલકથાકાર છે. આ વાર્તામાં પણ એમની વાર્તાકલાનાં ન થાય છે. વાર્તાની પાત્રસૃષ્ટિમાં આપણા સમાજનાં દંભ, દુરાચાર, પ્રતિષ્ઠાની પેાકળતા, ધનને મદ. રૂઢિની જડતા, સ્વાથ લાલુપતા વગેરે પ્રતિબિંબિત કરતાં પાત્રા છે. આકર્ષીક રીતે વાર્તાને ઉપાડ કરીને ઝીણી ઝીણી વિગતેા દ્વારા ગુજરાતના ગૃહજીવનનું એક સુદર ચિત્ર એમણે આરંભમાં આપ્યું છે. વિર્સાના મુગ્ધ હૃદયની આશા, ઉત્સુકતા, ઝખના, શ્યામલાલના પ્રથમ પ્રસ ંગે ભાંગી પડતી સ્વપ્નસૃષ્ટિ, નિરાશા વગેરેનું મનેારમ આલેખન કરી, તેના હૃદયમાં ચંદ્રવદન પ્રત્યે ઉત્પન્ન થતા ભાવ દૃઢ ખની અંતે પ્રેમમાં પરિણમતા બતાવી, વિપત્તિની પર પરામાં પણુ હામ ન હારતી અને વૈધવ્યમાં પણ વિશુદ્ધ પ્રેમની વેદી ઉપર C " જીવનસવ સ્વનું અર્પણ કરતી વિભાનું પાત્ર સુરેખ અને સ્પષ્ટ નિરૂપણ પામ્યું છે. વાર્તાના અંતમાં, દિવુ અને ચ`દ્રવદનના રેલ્વેના ડબ્બામાં થયેલા યેાગની સામાન્ય દૃષ્ટિએ કૃત્રિમતાના ભાસ ઉપજાવતા આકસ્મિકતાને ખાદ કરીએ તે વસ્તુવિધાનમાં કૃત્રિમતા કે પાંખાપણું નથી. લેખકની વનશૈલી રાચક છે. સુધડતા, તટસ્થતા અને કલ્પનાની સૌન્યતા આ વાર્તાના તરી આવતા ગુણા છે.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy