________________
ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય સંભવિત બને, તેમાં જ્યારે હિમાલયનાં પ્રકૃતિદોની મનોહરતા અને પ્રેરકતા ભળે ત્યારે એ અનિવાર્ય પણ બને. શ્રી વકીલને આટલાથી સંતોષ થયો નથી. તેથી તેણે અસ્વાભાવિક કલ્પનાને આશ્રય લઈ ભગવાન ભાસ્કરને શૃંગારના આલંબન તરીકે સ્વીકારીને ઉદ્દીપન વિભા. અને અનુભાવોનું સુંદર પણ અપ્રતીતિકર આલેખન કર્યું છે. વાર્તામાં જાતીય સમાનતાનો આદર્શ રજૂ કરતા લેખક સુનંદાના વર્ચસને સ્થાપવા અને વધારવા માટે સુધીરને-પુરુષનેઆરંભમાં દાબી દે છે, જો કે વાર્તાને અંતે સુધીર અને સુનંદા સાચી દષ્ટિ સાંપડતાં કેવળ પતિ-પત્નીભાવમાંથી ઊગરી સ્નેહના અતને અનુભવતાં દર્શાવાયાં છે. સુનંદા અને સુધીરના ઉરમાં સૂક્ષ્મ
દેલનો અને આઘાત-પ્રત્યાઘાતના વર્ણનમાં લેખકની કલ્પના અને ભાષાનું સામર્થ્ય વ્યક્ત થયું છે. પ્રકૃતિવને-સૌમ્ય અને રુદ્ર–ચારુતાવાળાં હોવા ઉપરાંત પાત્રોની મનોવૃત્તિને ઉત્તેજવામાં કે પોષવામાં સહાયભૂત થતાં હોવાથી વસ્તુના પોતમાં વણાઈ જાય છે. કેટલેક સ્થળે પ્રકૃતિવર્ણન કાવ્યની કટિએ પહોંચે છે, એ શ્રી વકીલની શક્તિને સાહિત્યનું કયું ક્ષેત્ર સવિશેષ અનુકૂળ છે તેનું સૂચન કરે છે.
શારદા–મંદિરમાં પ્રથમ પ્રવેશ કરતા “રાજહંસ ત્રણ નવલકથા (મધુપ, નિત્યપ્રિયા, મેંદીનો રંગ)ની વાનીથી ભરેલે નિવેદ્યથાળ લાવે છે. એ શારદાભક્તિ માટે તેમનો ઉત્સાહ દર્શાવે છે. શારદાનને નિનાદિત કરતા “કલાપી”ના પ્રેમભાવનામાર્ગ કેકારવથી પ્રેરાઈને . ઉદ્યાનવાપીમાં “રાજહંસ જી ઊઠે એ ઉદ્યાનનું સૌભાગ્ય ગણાય. આજે સ્ત્રી-પુરુષના પરસ્પર સંબંધમાં સ્વીકારાતી સમાનતા અને સ્વતંત્રતાનું અને પ્રેમના નિર્મળભાવને નામે સેવાતી-નવી નીતિ new morality પ્રતિષ્ઠિત સંજ્ઞાઓથી ઉલ્લેખાતી વિલાસિતાનું નિરૂપણ “મધુપ” અને “નિત્યપ્રિયામાં થયું છે. એક દષ્ટિએ “મધુપને નિત્યપ્રિયા’ના પુર્વરંગ જેવી પણ કહી શકાય. ૧૭૦ પાનાંની આ નવલકથામાં શક્તિ કરતાં ઉત્સાહ વધારે દેખાય છે. ઈજિપ્ત