________________
૧૧૪.
અક્ષ
(મંડપની બહાર નીકળી ટેકરી ઉપરથી થોડે નીચે ઊતરી) ઉમાશંકર – તમને થાક લાગે કે? પણે લોનમાં બેસીશું બે ઘડી ? લતા – હ, તમે ય લેખક છો ? હું તો હવે નીચે જ જઈશ. ' (બંને ઊતરી આવે છે. લતાને રસ્તા ઉપર જ બહેનપણીઓ મળે છે.) સરલા - (લતાના હાલ જોઈને) આ મરીન ડ્રાઈવ ચપાટી છોડીને
ટેકરાટેકરીઓમાં આમ એકલી ભટકે છે તે કોઈ ટોળકીને
હાથે હેરાન થવાની! એ જ લાગની !
વાર્તામાં કલ્પનાને વિલાસ માનવસ્વભાવ અને મને વૃત્તિઓનું સૂક્ષ્મ વિલેષણ, આછી કટાક્ષ કે પરિહાસની લહરીઓ વગેરે આકર્ષકતા આણે છે. નાયિકા લતામાં કશી અસાધારણતા નથી. વ્યક્તિત્વ પણ કસુમ જેટલું યે નથી. સુરેશ નિર્દોષ, વિશ્વાસુ અને સામાન્ય રીતે રસિક વૃત્તિવાળા છે પણ લતા-નિરંજનના પ્રસંગે તેને દુનિયાનું ડહાપણ શીખવ્યું અને તેને “દઢ માસનો કરી મૂક્યો. નિરંજન પહેલેથી છેલ્લે સુધી લતાના આકર્ષણમાં મુગ્ધ રહે છે, પણ મિત્રદ્રોહનો કી તેના હૃદયને કરે છે. પોતે કરેલા કર્મની જવાબદારી ઉપાડવાની આનાકાની કરતે તે ભીરુ માનસ દાખવે છે.
પ્રયોગ તરીકે “લતાનું મહત્ત્વ સારું ગણાય.
સુનંદા-કવિતા અને નાટકોલેખનમાં પ્રવૃત્તિ કરી ચૂકેલા શ્રી. રમણ વકીલને વાર્તાલેખનમાં આ પ્રથમ પ્રયાસ છે. શ્રી જ્યોતીન્દ્ર દવેએ ૭૮ પાનાંની આ વાર્તાને ૧૫ પાનાંનું પુરોવચન લખીને અષ્ટવર્ષા કન્યકાને સાડી પહેરાવતાં આવે તેવી પ્રૌઢતા અપી છે. વાર્તાની વિશિષ્ટતા વાર્તારસમાં નથી પણ સૂક્ષ્મ મનૈવિશ્લેષણના નિરૂપણમાં છે. શ્રી જ્યોતીન્દ્ર આ વિશ્લેષણની ખૂબીઓ અને ખામીઓ પુરોવચનમાં દર્શાવી છે એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ. માત્ર બેત્રણ મુદ્દાઓ નોંધીશું. સુનંદાની મનોવૃત્તિમાં અને જીવનદષ્ટિમાં જે પરિવર્તન આવે છે તે સામાન્ય રીતે પરિસ્થિતિના પરિવર્તનથી