SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાડ્મય દષ્ટિનું સંઘર્ષણ પ્રતીત થાય છે. અનેક લક્ષ્મીનન્દને જેના રૂપમાં મુગ્ધ થઈ ચરણે ઢળવા તૈયાર છે તે અલકા બિહારી જેવા લાપરવાહ અને જીવને જોખમે પણ લોકસેવાની ધૂનમાં મસ્ત યુવાનથી આકર્ષાઈ હૃદય ઈ બેસે છે. વાર્તાનાં પહેલાં સત્તર પ્રકરણમાં પ્રસંગે બહુ નથી. લેકસેવાની ભાવનાના વાતાવરણમાં બિહારી આકાશમાં તપતા સૂર્યની પેઠે પ્રેરણારૂપ થઈ રહે છે, અને લેખક નર્તકી અલકા, બિહારીની સહાધ્યાયિની અને પત્ની થવા સર્જાયેલી છતાં ઉપેક્ષા પામતી સુમિત્રા અને અલકા પાછળ ભમતા ધનવાન જગતાપની પત્ની નિર્મળાનાં પાત્રોનાં મનોમંથને નિરપીને સ્ત્રીહદયનું અછું દર્શન કરાવે છે. બિહારીને પતિ તરીકે પામવાની ધારણાથી પત્નીવત બિહારીના ઘરનું કામકાજ ઉઠાવતી પણ ઉપેક્ષિતા જેવી દશા ભગવતી સ્ત્રીસુલભ ઈર્ષ્યા કે સ્વાર્થદષ્ટિવાળી છતાં અલકાને જાણ્યા પછી સહાનુભૂતિથી આદ્ર બનતી સુમિત્રા આપણે સમભાવ જીતી લે છે. તેના કરતાં વધારે કરુણ અને ઉન્નત ભાવનાવાળું પાત્ર નિર્મળાનું છે. જગતાપ જેવા વાસનાપરવશ, વ્યસની પતિને દેવતુલ્ય માની આત્માપહાર કરતી જુના ગૃહિણીના આદર્શની મૂતિ સમી તે ચિતરાઈ છે. આ બંને કરતાં અનેખી વૃત્તિ અને શક્તિવાળી નર્તકી અલકા આરંભમાં જેમ સુખવિલાસ માણવામાં બાકી ન રાખી તેમ જીવનપરિવર્તન થતાં એશઆરામને તરછોડી મજૂરોની વચ્ચે ખાલીમાં રહેતી અને આગમાં ઝંપલાવી બાળકને બચાવી લેતી અલકા આજની યુવતીની મનભાવનાના પ્રતીક જેવી છે. અઢારમા પ્રકરણમાં કથાનકમાં ન તાર ઉમેરાય છે. ત્યાંથી વાર્તારસ કથળે છે, અને અંત શિથિલ બને છે. પાત્રનિરૂપણ પણ પૂર્વાધ જેટલું સ્પષ્ટ નથી રહેતું. લેખકે વાર્તા નવલકથા કહી છે છતાં તે નવલકથા કરતાં ટૂંકી વાર્તાને વધારે મળતી લાગે છે. લેખકમાં ભાવનિરૂપણની શક્તિ છે તેમાં ડાણ આવે, પરિસ્થિતિની શક્યતાઓને પૂરો લાભ લે, અપ્રસ્તુત વિગત (ઉ. આયના મીમાંસા) વર્ણવવાને મોહ જતો કરે અને
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy