SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અક્ષરા વિનાની થઈ ગયેલી છતાં સ્વમાનને વળગી રહેતી, પિતાના પ્રેમ ખાતર કડલાં કાઢી આપી સહદયતા વ્યક્ત કરતી, હરજી સાથે રાત્રે એકાંતમાં બેસીને વાસનાના વેગને રોગી દઢસંયમ સેવતી અને છેવટે જગતની જ્વાળાઓમાં કોઈ પોતાનું નથી એમ સમજી પ્રયાણ કરતી રાધુ–આ બંને પાત્રોની રેખાઓ સારી રીતે ઊપસી છે. જો કે . રાધુ હરજીને ગંગ સાથે પરણાવવાનું સૂચન કરે તે માટે લેખકે કશું કલાત્મક હેતુદર્શન નથી કરાવ્યું એ ક્ષતિરૂપ છે. ખુશમિજાજ કન્ટ્રાકટર ફરામજી અને તેની ધર્મશીલ દયાવૃત્તિવાળી પત્ની શિલુ, ભક્તિરત છતાં દારૂને વ્યસની, પાપનું ફળ નાશ એમ માની આત્મસંતોષ અનુભવતો ભિખારી ગંગુ, દંભના પ્રતીક સમા છતાં પ્રતિષ્ઠિત પિટમલ, અવસર જોઈને તુમાખીપણું કે દીનવૃત્તિ દાખવત પણ સ્વાર્થ સારી લેવાની એક પણ તક ન ચૂકતિ હરિવલ્લભ-આ ગૌણ પાત્રોનું નિરૂપણ લેખકની સાચી શક્તિનું દર્શન કરાવે છે. વાર્તાનાં ઘણાંખરાં પાત્રોની રિથતિમાં પલટો આવે છે અને એક કે બે રીતે પ્રયાણ' થાય છે. પણ રાધુ અને ગંગુ જગતથી કંટાળી ખેતરમાં યે પ્રકૃતિને ખોળે પણ સુખ ન પામી ક્યાંક સુખની શોધમાં નીકળી પડે છે. તે ઉપરથી - નવલકથાનું નામકરણ થયું લાગે છે. ત્રણ હૈયાં-કૃષ્ણલાલ ચીમનલાલ શાહની આ પહેલી નવલકથા છે જે તેમાં વ્યક્ત થતી લેખકની શક્તિના વિકાસની શક્યતા બતાવતા ગુણેને લીધે આવકારપાત્ર છે. વાર્તાનું વસ્તુ ગાંધીજીની સ્વાર્પણ, લોકસેવા, અહિંસા વગેરે જે ભાવનાઓ સાહિત્યમાં ખૂબ ઝીલાઈ ગઈ છે તેના ઉપર રચાયું છે. લોકસેવાની ધૂનવાળા, મજૂરોના જીવનને ઉદ્ધારવા અને વ્યવસ્થિત કરવા માટે પોતાનું સર્વસ્વ હમી દેવા તૈયાર એવી એક નવજુવાનની પ્રેરણાથી ભોગવિલાસને જ જીવનનું સર્વસ્વ માનતી નર્તકીની માનવતા મહોરે છે અને ઉત્તરોત્તર વિકાસ પામી સ્વાત્મસમર્પણની પરાકાષ્ઠાએ પહોંચે છે. વાર્તાને ઉપાડ કરતાં લેખકને આવડ્યું છે. પહેલા પ્રકરણને અંતે જ બે જુદી જુદી જીવન
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy