________________
ગુમાળીસનું ગ્રંથસ્થ વામય
૧૦૦ ભેદની સમજણ આરોપાઈ છે એટલું નહિ પણ પોતે ન પરણવાનો નિશ્ચય કરી પોતાના પ્રેમ માટે મૂરતા હરજીને કેઈ બીજી છોકરી સાથે પરણાવી દેવાનું પરોપકારી કાર્ય કરતી પણ દર્શાવાઈ છે!
આ જુદા જુદા ભાવોને કલ્પના સામર્થ્યથી સમુચિત પ્રસંગપરંપરા કે પાત્રો અને તેમના વર્તન દ્વારા કંથાનકમાં વણી લેવામાં લેખકને સફળતા મળી નથી. વસ્તુવિધાનમાં અસ્વાભાવિકતા અને દુરાકૃષ્ટતા, અનાવશ્યક પ્રસંગે કે અશોનું ગ્રંથન (ઉ. વર્ષાનું વર્ણન), એકધારી પ્રૌઢ શૈલીનો અભાવ, કેટલીક વાર તો છાપાળવી અને અધકચરી બની જતી લખાવટ, સ્થળ અને કોઈ કોઈ વાર ગ્રામ્ય જે થઈ જતો હાસ્યરસ-આ દોષનું પલ્લું. તે ઉપરાંત ભાષા અને વ્યાકરણના ખૂચે તેવા પ્રયોગ પણ થયા છે. સંવાદનો પ્રયોગ છૂટે હાથે થયો છે. છતાં સંવાદમાં ઔચિત્ય કે પ્રયોજન સામાન્ય રીતે નજરે આવતું નથી. બબે પાનાના સંવાદ પણ કેટલીક વાર અર્થહીન લાગે છે. સંવાદમાં અર્થગર્ભતા કે પાત્ર અથવા પ્રસંગની ઉદ્યોતકતા જોઈએ એ રહસ્ય લેખકની નજર બહાર રહેલું છે. રંગસુચનાને આશ્રય લેવો પડે એ નવલકથા લેખનની કાચી હથેટીનું સૂચક ગણાય.
ગુણપક્ષે લેખકમાં પ્રકૃતિદર્યો પ્રત્યે મુગ્ધભાવ, ગ્રામવાસીઓ પ્રત્યે સમભાવ છતાં તેમની બદીઓ તરફ આડી આંખ કરી જવાની વૃતિનો અભાવ, પાત્રનિરૂપણમાં સારી જેવી સિદ્ધિ, ગૌણ પાત્રોના આલેખનમાં પ્રતીત થતી શક્તિ અને ભાવનિરૂપણમાં વિકાસક્ષમ સામર્થ્ય ગણાવી શકાય. દરાના ડુંગરોનું વર્ણન તાજગીવાળું છે. નિમકહલાલ શેઠની ખુશામત ઉપર જીવતો છતાં ઊતરતી કક્ષાના માણસો ઉપર જોહુકમી ચલાવતો, માળીને ધમકાવવા જતાં અંતે કાયર બાયલાપણું વ્યક્ત કરતો, રાવ તરફ આકર્ષણની પ્રથમ ક્ષણથી કમળ આદ્રભાવથી વતીને બદલામાં તેના પ્રેમને ઝંખતો હરજી, લફંગા પિતાની નિરાધાર પાંગળી દીકરી લેણદારોના પંજામાં સપડાઈ ઝૂંપડી.