________________
૧૦૮
અક્ષર વિભાગનું અવલોકન કરીને છેવટે જીવનના અને સાહિત્યના અર્ક સમી અને સૌંદર્યને શબ્દદેહે સાકાર કરતી કવિતાના વિભાગનું દર્શન કરીશું.
નવલકથા આ વર્ષમાં પ્રકાશન પામેલી નવલકથાની સંખ્યા ૨૬ની છે, આમાંથી આઠ ઐતિહાસિક અને બાકીની સામાજિક છે. લેખકેમાં ધૂમકેતુ', ચુનીલાલ વ. શાહ, “જ્યભિખુ', “દિવ્યાનંદ' વગેરે આજ પહેલાં નવલકથાલેખનપ્રવૃત્તિ કરી ચૂકેલા. સર્જકે ઉપરાંત શ્રી પ્રાણલાલ મુનશી, રાજહંસ, કૃષ્ણલાલ ચી. શાહ વગેરે પિતાનાં પ્રથમ સર્જને આપતા નવીને પણ છે.
પ્રયાણના લેખક શ્રી ઈદ્ર વસાવડા ગુજરાતની જનતાને પરિચિત છે. ગ્રામજીવન જીવતાં ગરીબોની દુખિયારી દશા પ્રત્યે સમભાવ અને પ્રકૃતિના સનાતન છતાં નિત્ય નવીન સૌદર્ય તરફ અભિમુખતા, આ બે તાણાવાણાથી આ નવલકથાનું વડુ વણાયું છે. પ્રકૃતિસૌદર્યની ભાવના કેવળ વર્ણનમાં કે પરિસ્થિતિના આલેખનમાં વ્યક્ત થઈ પરિસમાપ્ત થઈ જતી નથી, પણ નાયકનાયિકાના હૃદયમાં ખુલ્લાં ખેતરોને આકર્ષક વાતાવરણમાં જીવન માણવાની ઊંડી અભિલાષાની ગ્રંથિ મૂકીને લેખકે સમાજજીવનના ત્રાસમાંથી નાસી છૂટવાની નાઠાબારી તરીકે પણ તેનો ઉપયોગ કર્યો છે. આ ભાવનાઓ કલામંડિત સંવૃત્તિ પામી અનપાવૃત્ત (unexposed) રહેવી જોઈએ, પણ રહી શકી નથી; થેયલક્ષિતા વારંવાર ખુલ્લી રીતે ઉઘાડી પડી જાય છે. ગંગુ જેવા હરિગુણગાનમાં દિવસરાત વ્યતીત કરતા ભિખારીના પાત્ર દ્વારા વસ્તુમાં સમાજની જડતા અને કઠોરતાને સામે પલ્લે નિર્દોષતા અને આસ્તિકતાના ભાવે મૂકાયા છે. અને તેને ડોકટરનાં બે બાળકોના ઓઠા નીચે વધારે ઘેરા લૂંટવાનો પ્રયત્ન થયો છે.ગામડાની નિરાધાર પારકે ઘેર ઊછરેલી પાંગળી અસંસ્કારી છેકરી (રાધુ)ના હદયમાં પ્રેમના શુદ્ધ નિઃસ્વાર્થ સ્વરૂપ અને વાસનાવિકૃતરૂ૫ વચ્ચેના