SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાય યથાર્થ વિવેચન કે મૂલ્યાંકન કરવા માટે અપરિહાર્ય છે. જર્મન sle 578 ( Goethe - Bisrt Wer den Dichtar will vertelen Muss in Dithters lande gehen.' 2 244 સૂકમ અર્થમાં પણ સમજવાની છે. આ ઉક્તિને અધિકારસૂત્રરૂપે નજર સમક્ષ રાખીને “સમીક્ષા” માટે આવેલાં પુસ્તકોની વિવેચના કરવાનો પ્રયત્ન કર્યો છે. આટલું ધ્યાનમાં રાખી હવે આપણે પ્રકાશને તરફ વળીએ. પણ આરંભમાં જ કાવ્યગ્રંથોનું નિરૂપણ કરવાની અત્યાર સુધી ચાલતી આવતી પ્રણાલીને ભંગ કરવાનું જોખમ વહોરું છું. સામાન્ય રીતે પ્રણાલીભંગ કરવાને શેખ મેં કેળવ્યો નથી. એટલે આજે પ્રણાલીભંગ કરવામાં જે હેતુ મને પ્રવૃત્ત કરે છે તેનો ઉલ્લેખ આવશ્યક છે. સાહિત્ય જીવનનું પ્રતિબિંબ કે (વ્યાપક અર્થમાં) વિવેચન છે એ વ્યાખ્યા તો સર્વવિદિત છે. આ સ્થળ વ્યાખ્યાને અનુસરીને આપણે જોઈએ તો સ્પષ્ટ દેખાશે કે જીવનમાં જેટલું વૈવિધ્ય કે ઊંડાણ કે સંકુલતા સામટાં શક્ય છે. પ્રધાનપણે નવલકથામાં નવલકથાનું વસ્તુ જીવન જેટલું વિશાળ પટવાળું અને વિવિધતાવાળું થઈ શકે. નવલકથા--જીવનની પેઠે–અમુક ચોકઠામાં જકડાઈ રહેતી નથી. જીવનમાં પણ અકસ્માતોને અવકાશ હોવા છતાં કેટલાક નિયમોની પ્રવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ તેમ નવલકથાને પણ કેટલાક સ્પષ્ટ આંતરનિય સિવાય બાહ્ય મર્યાદા રૂંધતી નથી–નવલકથાના નિયમો * જ નથી એ પણ એક મત એક આંગ્લ વિવેચકે વ્યક્ત કર્યો હતો! એટલે આરંભમાં જીવનને સવિશેષ રીતે પ્રતિબિંબિત કરતે નવલકથા વિભાગ આપણે જોઈશું. તે પછી કેટલેક અંશે ખાસ કરીને આત્મલક્ષિત્વ પરત્વે મર્યાદિત છતાં ટૂંકી વાર્તા કરતાં આમ ઘણી વધારે વ્યાપકતા અને સંકુલતાના અવકાશવાળા નાટક વિભાગનું સમાલોચન કરીશું. તે પછી સૂક્ષ્મતામાં, સઘનતામાં, વ્યંજનામાં અને સૌન્દર્ય ઝીલવાની શક્તિમાં કાવ્યની નજીક જઈ પહોંચતાં ટૂંકી વાર્તાના
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy