SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ અક્ષરા છે. આ રીતની “વસાહત નવલકથાઓ' Novels of colonization ના લેખનમાં વધારે વિકાસ થાય એ ઈચ્છવા યોગ્ય છે તે સાથે જ તળ ગુજરાતના જીવનનું નિરૂપણ સ્વાનુભવનિષ્ઠ બને, કેવળ કલ્પના ઉપર મદાર બાંધી ગરીબ કે મિલ મજૂર પ્રત્યે સહાનુભૂતિ કે ગામડાની પ્રજાજીવનની કરુણતા કે તેની બદીઓનું નિરૂપણ કૃત્રિમતામાં ન સરી પડે તે તરફ પણ સાવધ રહેવાનું છે. તે જ રીતે પતિતા મનાતી નર્તકીઓના જીવનને સર્જનના વિષય તરીકે સ્વીકારવા જતાં અને તેના હૃદયની માનવતા કે ઉદાત્તતા દર્શાવવા જતાં સર્જક પોતાના કેઈ “વાદ” કે ઉગ્ર અભિનિવેશ કે થેયલક્ષિતાની ધગશમાં સહેજે સગવડિયા અને કલાહીન નિરૂપણમાં ઝંપલાવી બેસે છે તે તરફ પણ સાવચેત રહેવાની જરૂર છે. કૃત્રિમતા અને ધ્યેયાભિનિવેશ સર્જકના માર્ગમાં નિરંતર ઊભેલા પરિપથીઓ છે. કલાકારને પણ જીવનના અનુભવોને સામાન્ય માણસની પેઠે સાક્ષાત્કાર થાય છે પણ તેનું ઉરતંત્ર અતિશય સંવેદનશીલ(sensitive) છે, તેથી સામાન્ય માનવદષ્ટિને શુદ્ર કે ધ્યાન આપવા પાત્ર ન લાગત અનુભવ સર્જક હદયને તીવ્ર સંવેદન કરાવે છે. આવા અનુભવમાં તેની સૌદર્ય દર્શનશીલ દષ્ટિને કઈક સૌંદર્યને સાક્ષાત્કાર થાય તો તે અનુભવ તેના હૃદયને ઝણઝણાવી ઊઠે છે.એ સૌંદર્યાધાનભૂત અનુભવને એ મૂર્ત ન કરે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. અનુરૂપ વાહન દ્વારા એ અનુભવ સાકાર થાય અને ભોક્તાના હૃદયમાં પણુ એ અનુભવ યથાવત ઝીલાય એવાં સૌષ્ઠવથી, ઔચિત્યથી અને અપરોક્ષતાથી સાકાર થાય ત્યારે કલાકૃતિનું સર્જન થાય અને એવું સર્જન તેને સંતોષ આપે. એટલે જે અભિક્રમ (Approach) કે દૃષ્ટિકોણથી કલાકાર પોતાના અનુભવને (એ અનુભવ વાસ્તવ હે કે વ્યાપક અર્થમાં સત્યનિષ્ઠ કલ્પનાજન્ય હે) કલાવસ્તુને નિરૂપે છે તે જ અભિક્રમ કે દષ્ટિકોણથી આપણે તેની કૃતિને નિરૂપીએ એ તેને ન્યાય આપવા ખાતર આવશ્યક છે અને તેના ગુણદોષનું
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy