________________
ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય
૧૦૫ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિને સ્વતંત્ર રીતે વિષય તરીકે સ્વીકારીને નિરૂપતી કાઈ કતિ આ વરસે મળી નથી. ૧૯૪૨ની મહાસભાની
સ્વાતંત્ર્ય માટેની ઝુંબેશ અને વિશ્વવિગ્રહ બંને અનન્ય કેન્દ્રવાળાં વર્તુળા છે ? તે બંનેની પાછળ પ્રવર્તી રહેલાં બળે તેનાં તેજ છે, એકહથ્થુ સત્તાધારી સરમુખત્યાર કે શાહીવાદ કે મૂડીવાદ કે ધણીપણું ભોગવતા આસામીની નાગચૂડમાંથી છૂટવા માટે હામ ભીડતા લેકશાસનવાદ કે સમાજવાદ કે ગુલામી ભોગવતી પ્રજાના તરફડાટ, રણજંગ અને યાતનાઓ, આ ભાવનાઓ તો આપણે ત્યાં ૧૯૨૦થી આપણું કવિઓએ અને અન્ય સર્જકે એ ઝીલી છે અને કલાદેહ અવતારવાને પ્રયત્ન પણ કર્યો છે. એટલું જ નહિ આ ભાવનાઓ અને ગાંધીજીના જીવનદર્શનની પ્રેરણાઓ જ આપણા અર્વાચીન સાહિત્યનો લગભગ પ્રધાન સૂર બની રહી છે. છતાં જીવન ઉપર મીટ માંડી બેઠેલું સંવેદનશીલ સર્જક હૃદય નિકટતમ પરિસ્થિતિના રણકાર ન ઝીલે અને જેને ચીલે–પછી તે સમાજવાદ કે સ્વાતંત્ર્ય કે ગ્રામજીધન કે અહિંસા જેવા ભાવ નિરૂપતું હોય તો પણ–ચાલ્યા કરે તો તેટલે અંશે તેની પ્રતિભાને અવનવાં આલંબને કે ઉપાદાનોમાં વિહાર કરવામાંથી વચિત રહેવું પડે છે છતાં સમગ્રતયા જોઈએ તો જણાય છે કે આજનું સાહિત્ય આપણા જીવનનું દર્શન ઝીલે છે. વાર્તાઓમાં અને કાવ્યમાં આપણુ આકાંક્ષાઓ, આશાઓ, મુસીબતે, વિમાસણો, નિરાશાઓ, સ્ત્રીપુરુષના સંબંધને કોયડા, સમાનતાની ભાવના વગેરે ભાવનું આલેખન થયું છે. પ્રાચીન પૌરાણિક વિષયને પણ અર્વાચીન દષ્ટિએ સંસ્કારીને અર્થગર્ભ બનાવીને આપણા અત્યારના જીવનદર્શનને વ્યક્ત કરવામાં આવ્યું છે. ગુજરાતીઓએ પરદેશમાં વસાહત કરી છે તેમાંથી ઉત્પન્ન થતા પ્રશ્નો તરફ પણ સાહિત્યકારોનું લક્ષ જવા લાગ્યું છે. બ્રહ્મદેશમાં ગુજરાતીઓના જીવનનું ચિત્ર આલેખતા પ્રયાસો આજ પહેલાં થઈ ગયા છે. આ વરસે આફ્રિકાવાસી ગુજરાતીઓની સ્થિતિને ઠીક અંશે ખ્યાલ આપતી નવલકથા મળી