SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૦૩ સંપાયું છે તેથી નાનામોટા સૌ લેખકને ન્યાય મળશે, અને પ્રતિષ્ઠિત માટે પાનાંનાં પાનાં અને ઊગતાઓની પંક્તિઓમાં જ પતાવટ એવું નહિ થાય એમ પણ આશા રાખે છે. આ વસ્તુસ્થિતિને ઉલ્લેખ કરું છું તેમાં પૂર્વગામી સમીક્ષાકારોના કાર્ય પરત્વે કે નિષ્ઠા પરત્વે રજમાત્ર આશંકા લાવવાનો હેતુ નથી જ. હેતુ એટલો જ છે કે સમીક્ષાનું કાર્ય સિઝરની પત્નીની પેઠે આશંકાથી પર રહે અને વાડા-તડાંના ભેદભાવજનક દષથી સર્વથા મુક્ત રહે એટલું જ નહિ પણ એની પ્રતીતિ પણ સૌ કોઈને થાય એ “સમીક્ષા પ્રવૃત્તિની પ્રતિષ્ઠાને ન્યાય ખાતર પણ આવશ્યક છે એ તરફ લક્ષ દેરવું. આનો અર્થ એમ નથી–અને પ્રકાશકે પણ એમ નહિ જ સમજતા હોય કે સમીક્ષક તટસ્થતાના અને ન્યાયબુદ્ધિના બાજઠ ઉપરથી નીચે ઊતરે કે ગુણ–દેષ તરફ આંખમીંચામણ કરી કેવળ પ્રસાદની લહાણું કરે. આજ સુધીની વાર્ષિક સમીક્ષાઓ જોઈ જઈએ તો તરત માલૂમ પડશે કે જેમ કૃતિઓની ગુણવત્તાની મૂલવણી થઈ છે અને પ્રશંસા કરાઈ છે તેમ પ્રતિષ્ઠિત સાહિત્યકારોના વિષયમાં પણ દોષ કે ક્ષતિ તરફ પણ એવી જ આંગળી ચીંધાઈ છે અને સાવચેતી અપાઈ છે. સમીક્ષક શક્તિમતિ અનુસાર યથાવત ગુણદોષદર્શન કરી મૂલ્યાંકન કરે અને આપણી વર્તમાન શકિતઅશક્તિને કંઈક આંક કાઢી આપે એ આ સમીક્ષાનું ધ્યેય ગણાય. એટલે ગૌણ બાબતોને ગૌણ લેખીને પ્રકાશકે આ કાર્ય સફળ રીતે પાર ઉતારવામાં સહકાર આપવાનો ધર્મ, સમજીને પ્રકાશનો સવેળા મેકલે અને વર્ષભરમાં પ્રકાશિત થયેલું એકે ય પુસ્તક મોકલાયા વિના ન રહી જાય એવી કાળજી રાખે એવી મારી નમ્ર સૂચના છે. આ વર્ષના સજનનાં પ્રકાશનમાં પ્રેરક બળા ક્યાં છે, એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊઠે છે. પણ એક પુરગામી સમીક્ષાકારે નોંધ્યું છે તે સત્ય છે કે એ બળો કંઈ વરસે વરસે બદલાતાં નથી જેથી તે તે બળાને આપણે વરસે વરસે તારવી શકીએ. પ્રજાજીવનના મહાસાગરમાં
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy