________________
અક્ષર
૧૦૨
આપણે વેઠવા પડ્યાં છે તેમાં કાગળ ઉપર મૂકાયેલું નિયંત્રણ પણ છે. એટલે કાગળની દુર્લભતાને કારણે કેટલાંક સર્જને તૈયાર હશે છતાં પ્રકાશન પામી શક્યાં ન પણ હોય. બીજું કારણ એ પણ હોય કે પ્રકાશક બંધુઓ કે સંસ્થાઓમાંથી કોઈકની શરતચૂકને લીધે કોઈ પ્રકાશન મેકલવું રહી ગયું હોય. આજે આટલે વર્ષે “સમીક્ષા'ની પ્રત્તિ એવી પ્રતિષ્ઠિત અને જાહેર થઈ ગઈ છે કે કોઈપણ પ્રકાશક તેથી અણજાણ હોવાનો કે રહેવાનો અવકાશ નથી. દર વર્ષે પ્રકાશકે
સમીક્ષા માટે નિયુક્ત થયેલી વ્યક્તિનાં નામઠામ સાહિત્યસભા પાસેથી જાણી લે અને વહેલી તકે પોતાનાં પ્રકાશને જેમ જેમ પ્રકટ થતાં જાય તેમ તેમ સમીક્ષકને મકતા જાય તે આ કાર્યમાં જે વિલંબ અનુભવો પડે છે તે ટળી જાય. અત્યારની વસ્તુસ્થિતિ તે ખેદ ઉપજાવે તેવી છે. ત્રણ ત્રણ ચાર માસ થયાં સમીક્ષકોનાં નામઠામ જાહેર થયાં હોય છતાં સામાન્ય રીતે પ્રકાશકો પોતાનાં પ્રકાશને સવેળા મોકલી આપવાની કાળજી રાખતા નથી. ૧૯૪૪ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રગટ થયેલાં પ્રકાશનો છેક ૪૫ના ફેબ્રુઆરીના અંતમાં મોકલાય એ પરિસ્થિતિ કઈ રીતે નિર્વાહ્ય ન ગણાય. અલબત્ત, પ્રકાશકોને પણ વ્યાવહારિક કે સગવડ-અગવડના કારણે જ આમ કરવું પડતું હશે છતાં દરેક પ્રકાશક કે પ્રકાશન સંસ્થા વહેલીતકે પિતાનાં પ્રકાશને સમીક્ષકોને મોકલી આપે તે કાર્ય જે તેઓના સહકાર વિના શક્ય નથી તે સરળ થાય. બલકે આજે તે એ સમય આવી લાગે છે કે બ્રિટનમાં જેમ દરેક પ્રકાશનની એક નકલ બ્રિટિશ મ્યુઝિયમમાં મોકલવાનો શિરસ્તો છે તે પ્રમાણે “સમીક્ષા માટે પોતાનાં પ્રકાશને મોકલી આપવાની ફરજ પ્રકાશક સમજતા થાય. અહીં એક બાબતનો ઉલ્લેખ કરવાનો મારો ધર્મ ગણું છું. મારા અનુભવ ઉપરથી કહી શકું કે કેઈક–અલબત્ત જૂજ અપવાદરૂ૫– પ્રકાશકધુ કે સંસ્થા “સમીક્ષા માટે પોતાનાં પ્રકાશને મોકલતાં અચકાય છે. કોઈક વળી મારા જેવા નવતર માણસને આ કાર્ય