SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષરો રૂપે બીજી કરતાં ચઢિયાતી કે ઊતરતી છે તેને ખ્યાલ રાખતા જવું. આવા સમજપૂર્વકના અભ્યાસથી જુદા જુદા પ્રતિષ્ઠિત લેખકેની કૃતિઓનું પરિશીલન કરવું. આરંભમાં વાર્તા વાંચવાની આ રીત કંઈક કઠોર અને કૃત્રિમ જેવી લાગે, પરિશ્રમ પણ માગી લે, પણ દરેક બાબતમાં બને છે તેમ આમાં પણ ટેવ પડી જાય છે, ફાવટ આવી જાય છે અને બહોળા વાચન અને વિવેચનને લીધે સૂક્ષ્મ નિરીક્ષણ કરતા રહેવાનું સુકર બની રહે છે. કોઈ પણ વ્યકિત આ વિવેચનશક્તિ કેળવી શકે છે. વિશાળ વાચન અને મનન દ્વારા તેણે દર્શાવેલા નિર્ણ વિચારણાના સ્થિર પાયા ઉપર બંધાયેલા હેય છે. આમ છતાં ઘણું વાર એમ પણ બને કે એક જ વાર્તા–કે બીજી કેઈ સાહિત્યકૃતિના મૂલ્ય વિશે કે ગુણદોષના તારતમ્ય વિશે પ્રતિષ્ઠિત સાહિત્ય-પરિશીલકમાં પણ મતભેદ રહે. એકને જે સુંદર અથવા ઉત્કૃષ્ટ લાગે તે બીજાને કે બીજા બધાને સુંદર કે ઉત્કૃષ્ટ લાગે એવો નિયમ નથી. છતાં જુદાં જુદાં સાહિત્યમાં સર્વમાન્ય બનેલી અને સહદય વાચકના મનમાં વસી ગયેલી અનેક કૃતિઓને તપાસીને, સરખાવીને સાહિત્યના પ્રકાર પરત્વે ટૂંકી વાર્તા પર કેટલાંક લક્ષણ તારવી શકાય અને અપરિહાર્ય ગણી શકાય તેવા નિયમ બાંધી શકાય. એટલે વાર્તાના કલેવર વિશે કે વસ્તુસંવિધાન વિશે કે નિરૂપણપદ્ધતિ વિશે મતભેદ ન રહે. છતાં સમગ્ર વાર્તા પર તેની રસપ્રદતા કે પ્રતીતિકરતા વિશે મતભેદને અવકાશ રહે. આનું મુખ્ય કારણ એ છે કે સાહિત્યકૃતિ આત્મલક્ષી (subjective) છે, ભૂગોળ કે ગર્ણિતશાસ્ત્રની પેઠે પરલક્ષી (objective) નથી. સર્જક અહીં જીવનની વિશાળતા અને વિવિધતામાંથી કઈ પ્રસંગ, પાત્ર કે અંશ ઉપાડી લઈને કલાત્મક રીતે એને શબ્દદેહ સમયે છે. વાર્તાને વિષય જીવનનો અંશ હોય છે છતાં વાર્તાલેખક એ વિષયને પિતાની દષ્ટિથી જુએ છે અને વાર્તારૂપે નિરૂપે છે. એનું એ દર્શન કે નિરૂપણ વૈયક્તિક છે અને તેથી જ સહદય વાચકે પર
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy