________________
અક્ષણ
પ્રયોગ ભલે લાંબો થાય, એ કાઢી નાખવાની જરૂર નથી. મૃચ્છકટિકનો પ્રયોગ મુંબઈમાં થયો, છ–સાડા-છ કલાક ચાલ્યો વચમાં દેઢ-બે કલાક તે બે દશ્યો વચ્ચે તૈયારીના ગયા ! પણ એ નાટક સાંગોપાંગ રજૂ થયું. પાત્રોની સજાવટ પણ એવી જ. એ પ્રવહગાડી–પણ પૂનામાં રંગભૂમિ પર લઈ આવેલા. સુંદરમે ઘણું દો કાઢી નાખ્યાં છે, પણ પેલે મૂળ નાટકનો પ્રયોગ જોતાં તે એમ લાગે છે કે એમાંથી કશું ય બાદ કરવા જેવું નથી, એમ કરવા જતાં તો એની મૂળ સૃષ્ટિ ખંડિત થતી લાગે છે. આવી તૃપ્તિ આપતાં નાટકો ગુજરાતીમાં કેટલાં? આપણે ત્યાં તે હાલ લેકરુચિને પંપાળવા માટે નાટક લખાય, ને એ જ રજૂ થાય. એટલે કે એવાં જ મને રંજનનાં રમકડાં માગ્યા કરે, ને નટા એ જ પસંદ કરીને ભજવે. આ vicious circle તેડવું જોઈએ.
જેમાં સાહિત્યની ગધેય નથી હોતી એવાં સંગીતરૂપકે લખાય છે! આ કમભાગ્ય છે! પ્રવાહપતિતતા જ્યાં ત્યાં દેખાય છે. સાહિત્યકીય નાટકે પ્રત્યેની સૂગ વિદ્યાથીઓમાં પણ છે! એમણે એવી અભિમુખતા ખોઈ જ નથી માત્ર, પણ ખોવી છે એવા ભાન સાથેએવા હેતુ સાથે એ લોકો સાહિત્યેતર રંગવાળાં નાટક-પ્રહસનો જ પસંદ કરે છે એ વસ્તુ દુખદ છે. ( “રગમ ” મિલન, સુરતના આશ્રયે તા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૮ના રેજ આપેલ વ્યાખ્યાનને સારસંક્ષેપ)